જામનગરમાં ગુરુનાનક દેવજીની 555 મી જયંતીની ઉજવણી કરવામાં આવશે
જામનગર શહેરમાં ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભા માં ગુરુનાનક દેવજીની 555 મી જન્મજયંતિની ઉજવણી 15/11/24 શુક્રવારે મનાવવામાં આવશે. જેમાં 10 તારીખ થી 13 તારીખ સુધી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું છે. જે વહેલી સવારે ગુરુદ્વારા થી અલગ અલગ સ્થળો પર (દિશાઓ) ફરશે.
સૌ પ્રથમ દિવસે 10/11/24 રવિવારે ગુરુદ્વારા થી ક્રિકેટ બંગલો, સાત રસ્તાથી પરત ક્રિકેટર બંગલો થઇ ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે. બીજા દિવસે 11/11/24 ગુરુદ્વારા થી લાલ બંગલા, ભીડભંજન મંદિર, તળાવની પાળ થઈ ટાઉનહોલ થઈને ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે. ત્રીજા દિવસે 12/11/24 ના રોજ ગુરુદ્વારા થી અંબર સર્કલ, ઝુલેલાલ મંદિર, બેડી ગેટ, લીમડા લાઈન થઈ ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે. અને છેલ્લા દિવસે 13/11/24 ના રોજ ગુરુદ્વારા થી હોસ્પિટલ રોડ, પી.એન.માર્ગ, પંચવટી વિસ્તારથી જોગસ પાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલ થઈ પરત ગુરુદ્વારા સમાપ્ત થશે. આ ઉજવણી દરમિયાન ગુરુદ્વારામાં ચાલી રહેલ સેહજ પાઠની પુર્ણાહુતી 15/11/2024 સવારે ૧૦ વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગંગાનગર થી ભાઈ સાહબ ગગનદીપસિંઘ વિશેષ હાજરી આપશે. જે કાર્યક્રમમાં શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પછી ગુરુદ્વારા ખાતે સૌ ભક્તોજનો માટે ગુરુ કા લંગરનું આયોજન કરવામાં આવ્યુ છે.