ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (એમસીસી) પાસેથી પ્રવેશનો બીજો રાઉન્ડ કરાવવાની અનિચ્છા માટે વ્યાજબી ઠેરવવાની માંગ કરી હતી, જ્યારે ચાર રાઉન્ડ પૂર્ણ થયા પછી પણ ગુજરાતમાં એમબીબીએસની 57 બેઠકો ખાલી રહી હતી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા ત્રણ રાઉન્ડ પછી ઘણી બેઠકો ખાલી રહી હોવા છતાં, એમબીબીએસ અભ્યાસક્રમો માટે વધુ પ્રવેશ રાઉન્ડ યોજવા માટે સત્તાવાળાઓ અનિચ્છા ધરાવતા જણાતા મેડગુજ એસોસિએશન ઓફ ગુજરાત મેડિકલ કોલેજે ગયા મહિને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ગુજરાતની મેડિકલ કોલેજોમાં લગભગ 6,400 એમબીબીએસ બેઠકો છે. એવું રજૂ કરવામાં આવ્યું હતું કે ગયા વર્ષે સત્તાવાળાઓએ સમયમર્યાદા પછી પણ વધારાનો પ્રવેશ રાઉન્ડ યોજ્યો હતો જ્યારે ફક્ત ચાર એમબીબીએસ બેઠકો ખાલી રહી હતી. જો કે, આ વર્ષે પ્રવેશની સમયમર્યાદા પછી ખાલી બેઠકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ હતી. અરજદારોએ દલીલ કરી હતી કે એસીપીયુએમસી દ્વારા પ્રવેશનો બીજો રાઉન્ડ ન યોજવો એ વિદ્યાર્થીઓ તેમજ સમાજ માટે નુકસાનકારક છે, કારણ કે ભારત લાયક ડોક્ટરોની અછતનો સામનો કરી રહ્યું છે.
ગઈકાલે એસોસિએશનના વકીલે રજૂઆત કરી હતી કે ચાર મેડિકલ કોર્ષ એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ અને બીએચએમએસ માટે એક સામાન્ય પ્રવેશ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. એનએમસી અને એમસીસીએ 24 ડિસેમ્બરે બીડીએસ કોર્ષ માટે પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજવાનો નિર્ણય લીધો છે. કોર્ષમાં બેઠકો મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને, એમબીબીએસ પ્રવેશ માટે સમાન પદ્ધતિ અપનાવવી જોઈએ.
વકીલે હાઈકોર્ટને બંધારણની કલમ 226 હેઠળ પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવા અને એમસીસી અને એનએમસીને એમબીબીએસ પ્રવેશનો બીજો રાઉન્ડ યોજવાનો નિર્દેશ આપવા વિનંતી કરી હતી. જવાબમાં હાઈકોર્ટે એનએમસીના વકીલને પૂછ્યું, જેમણે કોર્ટને જણાવ્યું કે તેમને સૂચના આપવામાં આવી છે કે એમબીબીએસ પ્રવેશનો બીજો રાઉન્ડ શક્ય નહીં બને. આ રજૂઆત પર પ્રતિક્રિયા આપતા,ન્યાયાધીશ નિરઝર દેસાઈએ અવલોકન કર્યું, 'એ હકિકતને ધ્યાનમાં લેતા કે પ્રવેશ પ્રક્રિયા ચારેય અભ્યાસક્રમો એમબીબીએસ, બીડીએસ, બીએચએમએસ અને બીએચએમએસ માટે સામાન્ય છે અને ગયા વર્ષે ચાર ખાલી એમબીબીએસ બેઠકો ભરવા માટે સમાન પ્રથા અપનાવવામાં આવી હતી અને આ વર્ષે પણ બીડીએસ કોર્ષ માટે એમબીબીએસ કોર્ષ માટે પ્રવેશનો બીજો રાઉન્ડ ન યોજવા પાછળ શું અવરોધ અથવા વ્યાજબી કારણ છે? હાઈકોર્ટે એસીપીયુએમસી પાસેથી જવાબ માંગ્યો છે અને આ અંગે આજે વધુ સુનાવણી હાથ ધરાશે.