ગુજરાત હાઈકોર્ટમાં ખળભળાટ: રજિસ્ટ્રારના વર્તન પર સવાલ ઉઠાવતા ન્યાયાધીશની બદલી

  • February 15, 2025 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઈકોર્ટમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. જસ્ટિસ સંદીપ એન ભટ્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રારના વર્તન પર ગંભીર સવાલો ઉઠાવ્યા બાદ તેમની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમને હવે તેમનાથી વરિષ્ઠ ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


શું છે મામલો?

જસ્ટિસ સંદીપ એન ભટ્ટે ગુરુવારે હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં ન્યાયિક અધિકારીના વર્તન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે રજિસ્ટ્રાર (SCMS અને ICT) એટી ઉકરાણીના વર્તન સામે સવાલ ઉઠાવ્યા હતા, જેમણે 2019 માં તેમની બદલી પછી સાત મહિના સુધી સુરત કોર્ટમાં 15 કેસોની ફાઇલો પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.


જસ્ટિસ ભટ્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે તેમને "આઘાત" લાગ્યો છે કે ઉકરાણી છેલ્લા છ વર્ષથી હાઇકોર્ટ રજિસ્ટ્રી સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઉકરાણી વિવાદનો વિષય રહ્યા હતા અને હાઈકોર્ટના ન્યાયાધીશોમાં ગેરસમજ પેદા કરી હતી. જસ્ટિસ ભટ્ટે નોંધ્યું હતું કે આ વ્યક્તિ સર્વશક્તિમાન હોય તે રીતે તેની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. જસ્ટિસ ભટ્ટના આ આદેશના બીજા જ દિવસે તેમના રોસ્ટરમાં ફેરફાર કરીને જાતિ ભટ્ટને ડિવિઝન બેંચમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application