મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ગુઇલેન-બેર સિન્ડ્રોમ ના 205 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે, જેમાં 177 દર્દીઓમાં જીબીએસ હોવાનું નિદાન થયું છે.વધુમાં, અધિકારીઓના જણાવ્યા મુજબ, 8 મૃત્યુ થયા છે, અને તેમાંથી 4 મૃત્યુ જીબીએસ થી થયા હોવાની પુષ્ટિ પામ્યા છે.મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, આજ સુધી કુલ 205 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 177 દર્દીઓમાં જીબીએસ હોવાનું નિદાન થયું હતું. કુલ 8 મૃત્યુ થયા છે. આમાંથી 4 મૃત્યુ જીબીએસ તરીકે પુષ્ટિ થયા હતા અને 4 શંકાસ્પદ મૃત્યુ નોંધાયા હતા. પુણેના 41 દર્દીઓ, પીએમસી વિસ્તારમાં નવા ઉમેરાયેલા ગામડાઓમાંથી 94, પિંપરીચિંચવડ એમસી ના 29, પુણે ગ્રામીણ માંથી 32 અને 08 અન્ય જિલ્લાના છે. આ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 113 દર્દીઓને રજા આપવામાં આવી છે, 50 આઈસીયુમાં છે અને 20 વેન્ટિલેટર પર છે.મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારે જીબીએસ ના 2 શંકાસ્પદ નવા કેસ નોંધાયા હતા, અને બાકીના 5 કેસ પાછલા દિવસોના છે.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જીબીએસ ના સામાન્ય લક્ષણોમાં હાથ કે પગમાં અચાનક નબળાઈ/લકવો, ચાલવામાં તકલીફ, અથવા અચાનક શરૂઆત સાથે નબળાઈ અને ઝાડા (સતત સમયગાળા માટે) શામેલ છે.રાજ્ય આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે.આ પહેલા, 6 ફેબ્રુઆરીના રોજ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનએ પુણે શહેરના સિંહગઢ રોડ પર નાંદેડ ગામ, ધાયરી અને આસપાસના વિસ્તારોમાં 30 ખાનગી પાણી પુરવઠા પ્લાન્ટ સીલ કયર્િ હતા. આ વિસ્તારોને રોગચાળાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યા છે. પીએમ્સી ના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં આ પ્લાન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.પીવા માટે અયોગ્ય જણાતા પાણીના નમૂના એકત્રિત કયર્િ બાદ પીએમસીએ આ પ્લાન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી. કેટલાક પ્લાન્ટ્સને ચલાવવા માટે યોગ્ય પરવાનગીનો અભાવ હતો, જ્યારે અન્ય એસ્ચેરીચીયા કોલી બેક્ટેરિયાથી દૂષિત હતા. વધુમાં, કેટલાક પ્લાન્ટ્સ દૂષણને નિયંત્રિત કરવા માટે જંતુનાશકો અને ક્લોરિનનો ઉપયોગ કરી રહ્યા ન હતા.3 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્રના મુખ્ય આરોગ્ય અને તબીબી મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ દ્વારા લેવામાં આવતા જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરી હતી, જેમાં જીબીએસ થી પ્રભાવિત દર્દીઓના પરીક્ષણ અને સારવારનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના મતાનુસાર ગુરુવારે 2 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેર સિન્ડ્રોમનો કહેર, 205 કેસ નોંધાતા ચિંતા વધી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech