ગોંડલ નગર પાલિકાએ ૧૫માં નાણા પચં પાસ થતા સૌ પ્રથમ પીજીવીસીએલનું ૨,૩૪,૯૯,૯૬૦ રૂપિયાનું વીજ બીલ ભયુ છે. પીજીવીસીએલને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બાકી હતું. પીજીવીસીએલ દ્રારા નગરપાલિકાને અલગ અલગ વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ જેવા ૧૦૪ વીજ કનેકશનનું જોડાણ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા સહિતનાની રાય સરકારમાંથી વીજબીલની રકમ મેળવવા કરાયેલી મહેનત રગં લાવી હતી. નગરપાલિકાના હોદેદારોએ જણાવ્યું કે ૧૮ મહિનાથી બિલ ભરપાય થયું ન હતું. ૩.૮૫ કરોડની રકમ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. ૨,૩૪,૯૯,૯૬૦ પિયા સરકારમાંથી આવ્યા છે. હજુ વધારે રકમની માંગણી કરી છે. હજુ વધારે રકમ પાસ થશે તો વીજ બિલની તમામ રકમ ભરપાય કરી દેવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, વીજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણી, વાહન શાખાના ચેરમેનના પ્રતિનીધી સમીરભાઈ કોટડીયા સહિતનાએ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર એન.જે.મેં, ડેપ્યુટી એન્જીનીયર એસ.પી. કણસાગરા અને નાયબ અધિક્ષક એચ.બી.પટેલને ચેક આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech