સોનાની અયોધ્યા: રાજકોટના ભકતે વીંટીમાં બનાવ્યું રામમંદિર

  • January 15, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના એક ઝવેરીએ રામ ભકત માટે સોનાના રામ બનાવ્યા છે અને સાડા ત્રણ ગ્રામની વીંટીમાં સુંદર રીતે કલાત્મક અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કયુ છે. ૨૨મી જાન્યુઆરીનો દિવસ દેશવાસીઓ માટે સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે તે પૂર્વે રામભકતો દ્રારા આ દિવસને ખાસ યાદગાર અને ઐતિહાસિક બનાવી શકાય તે માટે અલગ અલગ સંકલ્પો કરી રહ્યા છે.રાજકોટમાં ૨૩ કરોડ રામનામના જાપ સાથે વલ્ર્ડ રેકોર્ડ રચાશે, ત્યારે રાજકોટના એક રામ ભકિત ભગવાન રામ,સીતા અને લમણ સાથે આખું રામ મંદિર પીળી ધાતુમાં કંડારવા માટેનું નક્કી કયુ અને પહોંચી ગયા રાજકોટની સોની બજારમાં આવેલા ઝવેરી પાસે. આ રામભકતે પોતાનો વિચાર જાણીતા સોની વેપારી અને રાજકોટ જેમ્સ એન્ડ વેલરી એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઈ સમક્ષ. એક વીંટીમાં આખેઆખું અયોધ્યા નું નિર્માણ કરવું અને એ પણ રામ મંદિર મહોત્સવ પૂર્વે જે સોની વેપારી માટે પણ એક મોટી ચેલેન્જ હતી.

દિવસો ટૂંકા અને કામ પણ સમય માગી લે તે મુજબનું હોવા છતાં દિવ્યેશભાઈએ પોતાના અનુભવ અને સૂઝબૂઝથી ડિઝાઇન બનાવવા માટેની કામગીરી સૌપ્રથમ શ કરી અને ત્યારબાદ વીંટીનો મોલ્ડ બનાવ્યા બાદ રામમંદિર ની ડિઝાઇનમાં અમુક જગ્યાએ હસ્ત કારીગરી અને મશીનકટથી દસ દિવસમાં ૩૫ ગ્રામ ની ૧૮ કેરેટની સોનાની વીંટી જેની કિંમત આશરે બે લાખથી વધુ થાય છે તે તૈયાર કરી આપી.

પીળી ધાતુને અલગ અલગ ઘાટ આપવામાં રાજકોટની સોની બજારની કલા સમગ્ર વિશ્વમાં બેનમૂન છે. વેલરી ની સાથે ટેમ્પલ વેલરીમાં પણ રાજકોટની ડિઝાઇન ની બોલબાલા રહેલી છે ત્યારે દેશના સુપ્રસિદ્ધ મંદિરો અને તીર્થ સ્થાનકોમાં બિરાજતા ભગવાનના દાગીના પણ અહીં બને છે. જેમાં હવે અયોધ્યા રામમંદિરને આબેહબ સોનાની વીંટી પણ મઢીને શ્રે ડિઝાઇનનો વધુ એક નમુનો રાજકોટની સોની બજારે આપ્યો છે.

સોનાની વીંટી બનાવનાર દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં મંદિર માટેનું સાદું સ્કેચ બનાવીને તેને કેડ અને આર એ ટી મોલ્ડ પર આકાર આપી કાસ્ટિંગ કર્યા બાદ આખી પ્રોસેસ કરવામાં આવી હતી જેમાં અમારી ટીમના ત્રણ કારીગરોએ આ ડિઝાઇનને સુંદર આબેહબ આકાર આપ્યો છે. સોનાની આ વીંટીમાં જેમ અયોધ્યામાં સોમપુરા કારીગરોએ મંદિરમાં જેટલા સ્તભં અને શિખર બનાવ્યા છે તેવી જ રીતે આ વીંટી પણ એટલા જ સ્તભં અને શિખર નો સૂમમાં સૂમ કારીગરી સાથે કામ કરવામાં આવ્યું છે. ૨૨મી તારીખે પ્રતિા મહોત્સવ દરમ્યાન આ રામ ભકત આ વીંટીનું પૂજન કરીને પહેરશે. સોનાની જેમ ચાંદીમાં પણ અયોધ્યા અને રામ મંદિર સાથે રામ દરબાર બનાવાનો ટ્રેન્ડ વધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application