ખેડૂતોના ચોમાસાના પાકને વ્યાપક નુકશાન
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી હતી. આ પત્રમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડેલ છે, જેના કારણે ખેડૂતોના ચોમાસું પાકો મગફળી અને કપાસને મોટા પાયે નુકશાન થયેલ છે, તેથી વળતર આપવાની માંગ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કરી છે.
વધુમાં હેમંત ખવાએ જણાવ્યું હતું કે એક તરફ મોઘવારીનો માર અને બીજી તરફ વરસાદથી ખેતરો ધોવાઇ જતા હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે, જેના કારણે સંપૂર્ણ પાકો બગડી ગયા છે. આથી સમગ્ર ગુજરાતના જે જે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડેલ છે ત્યાં ખેડૂતોના પાકોને થયેલ નુકસાનીનું તાત્કાલિક તંત્ર દ્વારા સર્વે કરાવી તેમને યોગ્ય વળતર ચૂકવવા માટે ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech