ગીરસોમનાથ જિલ્લાની સતાની સમીક્ષા બેઠક

  • May 10, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં સર્જાયેલી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડિ્રલ સાથે બ્લેકઆઉટ અને અન્ય તૈયારીઓ થઈ રહી છે.
તે જ રીતે, ગીર સોમનાથ જિલ્લ ામાં પણ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તત્રં દ્રારા વિવિધ તૈયારીઓ આરંભાઈ છે. આ તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી સચિવ  વિશેષ પે ગાંધીનગરથી ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં અને તેમણે જિલ્લ ાની તૈયારીઓની સમીક્ષા જિલ્લ ાના શિર્ષ અધિકારીઓ સાથે કરી હતી.
પ્રભારી સચિવ જેનુ દેવાને જિલ્લ ામાં બ્લેકઆઉટ ડ્રીલ તથા યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લ ાના નાગરિકોના જાનમાલના રક્ષણ સાથે આકસ્મિક સંજોગોમાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય તથા ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે વિવિધ વિભાગો દ્રારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.
સચિવ એ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાય સરકાર દ્રારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે, તેનો ઉલ્લ ેખ કરતા જણાવ્યું કે, અત્યારે દેશમાં સર્જાયેલી સ્થિતિમાં આપણું કર્તવ્ય છે કે, આપણે સતત એલર્ટ મોડ પર રહીએ અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સભ્ય રહીએ તે સમયનો તકાજો છે.
સચિવ એ જિલ્લ ામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ જેવી કે, રકતની ઉપલબ્ધતા ઓકિસજન અને વેન્ટિલેટર એમ્બ્યુલન્સ ઓકિસજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
સચિવ એ પાણી, ટ્રાન્સપોર્ટેશન, સોમનાથ મંદિરની સુરક્ષા, લોકો દ્રારા ખોટી માહિતીનું પ્રસારણ ન થાય તે માટેની કાળજી સહિતના મુદ્દાઓ સ્પષ્ટ્ર કરીને તે માટે લેવાની દરકાર બાબતે ઉપસ્થિત અધિકારીઓને વિશેષ માર્ગદર્શન પૂં પાડું હતું.
પ્રભારી સચિવએ જિલ્લ ાના અધિકારીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ જ સમય દેશ પ્રત્યે પોતાની કર્તવ્ય નિ ા દર્શાવવાનો છે અને લોકોની સરકાર પ્રત્યેની જે અપેક્ષાઓ છે તેની પૂર્તિ કરવાનો છે.
જિલ્લ ા કલેકટર   એન.વી ઉપાધ્યાય એ પ્રભારી સચિવ એ આપેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને જિલ્લ ાના અધિકારીઓ નીચેના કર્મચારીઓને માર્ગદર્શિત કરે અને આવનારી કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સ રહે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લ ા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત જિલ્લ ાના વરિ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application