રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ એસટી બસપોર્ટ ઉપર આવેલા બંને યુરિનલમાં લઘુશંકા કરવા જનાર મુસાફરો પાસેથી .પાંચથી .૧૦નો ચાર્જ પડાવી ઉઘાડી લુંટ શ કરવામાં આવતા તેમજ ખાસ કરીને મહિલા મુસાફરો પાસેથી જ આ પ્રકારે ચાર્જ વસુલાતો હોય આ મામલે નિગમના એમડીને ફરિયાદ કરાઇ છે.
વિશેષમાં ઉપરોકત મામલે ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેકટરને મુસાફર હિત રક્ષક સમિતિ દ્રારા કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ એસટી બસપોર્ટ–ઢેબર રોડ ખાતે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોએ સાઇટ વિઝીટ કરતા એસટી બસ પોર્ટના બંને યુરીનલમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને ખાસ કરીને મહિલા યુરીનલોમાં .પાંચ થી .૧૦ સુધીની રકમ પડાવવામાં આવે છે તેમ માલુમ પડું હતું. કાયદેસર બાથમ જવા માટે નિ:શુલ્ક સેવા છે તેમ છતાં .પાંચથી ૧૦ લેવામાં આવી રહ્યા છે. આ અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જનું મૌખિક ધ્યાન દોરી ગુજરાત રાય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ માટેની ફરિયાદ પોથી (પરિશિષ્ટ્ર અ)માં કરી છે. યુરીનલ ફ્રી સેવા છે એ પ્રકારના બોર્ડ હોવા ફરજિયાત છે પરંતુ તે પ્રકારના બોર્ડ કોન્ટ્રાકટર દ્રારા ઉખાડીને ફેંકી દેવાયા છે. આ સમગ્ર મામલે તાત્કાલિક નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા માંગણી છે. સ્ટેન્ડ ઇન્ચાર્જના જણાવ્યા મુજબ .૧૦ હજારનો દડં ફટકારેલ છે પરંતુ તેમ છતાં ખુલ્લેઆમ .પાંચ થી ૧૦ વસુલવામાં આવી રહ્યા છે સ્ટેન્ડ ઇન્ચાર્જ અને એસ.ટીના ટ્રાફિક કંટ્રોલરોની હાજરીમાં આવી પ્રવૃત્તિ થઇ રહી છે ત્યારે આકરા પગલા ભરી દાખલાપ સજા કરવા માંગ છે. વિજિલન્સ દ્રારા ખાનગી રહે ડ્રાઇવ ગોઠવી આ પ્રકારે મુસાફરોને લૂંટનારાઓને રંગેહાથ પકડીને તેમની સામે પોલીસ કેસની કાર્યવાહી પણ થવી જોઇએ.
રાજકોટ એસટી બસ પોર્ટમાં દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર–જવર છે. આ બસ પોર્ટમાં આવેલ પબ્લીક યુરિનલમાં જતી–આવતી માતાઓ, બહેનો અને દિકરીઓ પાસેથી રૂા. ૫ થી ૧૦નો ચાર્જ વસુલવામાં આવે છે. આ મામલે કરાયેલી ફરિયાદ ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech