પાલીતાણામાં જામવાળી ગામે શાળાના બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે હાલ તમામ બાળકોની સ્થિતિ સામાન્ય છે. પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભોજન કર્યા બાદ શાળાના કેટલાક બાળકોને રાત્રી દરમ્યાન ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ જામવાળી ગામે દોડી ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ ગંભીર બાળક હોય તેવું સામે આવ્યું ન હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળાના ૧૨૦ બાળકો માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાના બાળકનો જન્મ દિવસ હોવાથી ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાક-પુરી અને લાડુ બહારથી લાવવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત થતા કેટલાક બાળકોને સામાન્ય ફૂડ પોઝિશનીંગની અસર થઈ હતી. સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. શાળાના બાળકોને ભોજન કર્યા બાદ ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી, જેથી આરોગ્યની ટીમ દોડી ગઈ હતી. ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ચંદ્રમણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જાણ થતા જ આરોગ્યની ટીમ જામવાળી ગામે પહોંચી ગઈ હતી. જયાં કુલ ૧૨૦ જેટલા બાળકો પૈકી ૨૪ બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. બે થી ચાર બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી.
શાળાના મહિલા કર્મચારીના બાળકનો જન્મદિવસ હોવાથી પાલીતાણાથી દિલીપભાઈ નામના રસોયાને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બપોરના સમય બાળકો માટે છોલે-ચણા, પૂરી, પાપડ, સલાડ, મોતીચૂર લાડુ અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ૧૨૦ માંથી ૨૪ જેટલા બાળકોને સામાન્ય અસર થઈ હતી. તેમાંથી ત્રણ બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી. હાલ દરેકને સ્થિતિ સામાન્ય હોવાનું આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech