શહેર ભાજપ સંગઠન દ્વારા અટલ બિહારી બાજપાઈને પુષ્પાંજલિ

  • August 20, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે રાષ્ટ્રના પનોતા પુત્ર ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્યેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શહેર અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં "પુષ્પાંજલિ" નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના હોદ્દેદરો, શિક્ષણ સમિતિના સદસ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, મોર્ચા - સેલના હોદ્દેદારો  તેમજ કાર્યકર્તા ઓએ  ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application