સુપ્રીમ કોર્ટ નજીક પહોંચ્યા પૂરના પાણી, PM મોદીએ દિલ્હીની સ્થિતિ જાણવા ફ્રાંસથી LGને કર્યો ફોન

  • July 14, 2023 12:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે ફ્રાન્સથી એલજી વીકે સક્સેનાને ફોન કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને તમામ શક્ય સહાયતા માટે યોગ્ય પગલાં ભરવાની સૂચના પણ આપી હતી. સક્સેનાએ મોડી રાત્રે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.


એલજીએ ટ્વીટ કરીને લખ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસથી ફોન કરીને દિલ્હીમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ અને તેને પહોંચી વળવા માટે થઈ રહેલા પ્રયાસો વિશે વિગતવાર માહિતી લીધી હતી. તેમણે કેન્દ્ર સરકારને દિલ્હીના હિતમાં શક્ય તમામ પગલાં લેવા જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાંસ પહોંચ્યા છે. અહીં તે બેસ્ટીલ ડેની ઉજવણીમાં હાજરી આપશે અને બેસ્ટીલ ડે પરેડમાં પણ ભાગ લેશે.


નોઈડા ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે દિલ્હીમાં યમુનાના જળસ્તર વધવાને કારણે ચિલ્લા બોર્ડર, કાલિંદી કુંજ બોર્ડર, લોની બોર્ડર અને સિંઘુ બોર્ડર પરથી તમામ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માત્ર આવશ્યક સેવાઓ અને ઈમરજન્સી વાહનોને જ પ્રવેશ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application