ઓડિશાના ભદ્રક જિલ્લામાં મંગળવારે એક ચાલતી ટ્રેન પર અજાણ્યા લોકોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. GRPએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચંપા સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા.
રેલવે દ્વારા શું કહેવામાં આવ્યું?
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માહિતી પર પહોંચેલા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા. હવે GRP દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, 12816 આનંદ વિહાર-પુરી નંદન કાનન એક્સપ્રેસના ગાર્ડે એક ઘટનાની જાણ કરી. ગાર્ડે જણાવ્યું કે, ગાર્ડ વાનની બારી પર કોઈ વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ઓડિશામાં નંદનકનન એક્સપ્રેસ પર બદમાશોએ ગોળીબાર કર્યો છે. આ ઘટના આજે સવારે 9.25 કલાકે બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ચંપા રેલવે સ્ટેશનથી રવાના થઈ રહી હતી. ટ્રેન મેનેજરની ફરિયાદ મળ્યા બાદ ભદ્રક GRPએ તપાસ શરૂ કરી છે. આ ગોળીબાર ગાર્ડના વાન કમ્પાર્ટમેન્ટ તરફ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈ પેસેન્જર માટે બેસવાની જગ્યા નહોતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. ગોળીબાર કોણે કર્યો અને તેનો હેતુ શું હતો તે અંગે અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે.
રેલવે કરી રહી છે તપાસ
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) આ મામલાની તપાસ કરી રહી છે. અધિકારીઓ હજુ પણ એ વાતની પુષ્ટિ કરવા માટે કામ કરી રહ્યા છે કે આ ઘટનામાં ખરેખર ગોળીબાર થયો છે કે પછી તે પથ્થરબાજીનો મામલો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech