રાજકોટમાં ફાયર એનઓસીની કામગીરી ઠપ્પ
ફાયર બ્રિગેડના બંને મુખ્ય અધિકારીની ધરપકડ થતા કોઈ સાઇનિંગ ઓથોરિટી જ હાજર નહીં: ક્યાં જવું, કોને પૂછવું, કોને મળવું ? અરજદારોની હાલત કફોડી
રાજકોટ શહેરમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ધોળાધળ મિલકતો સીલ કરવામાં આવી હતી અને સીલ ખોલવા માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત બનાવાયું હતું, અમુક પાસે ફાયર એનઓસી હતા પરંતુ રીન્યુ ન હતા તેમને રીન્યુ કરવા માટે તાકીદ કરાઈ હતી. દરમિયાન અગ્નિકાંડની તપાસ અંતર્ગત ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા સહિત બંનેની ધરપકડ થઈ જતા તેમજ હાલ બંનેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હોય હવે ફાયર એનઓસીમાં સહી કરી શકે તેવા કોઈ સક્ષમ અધિકારી રહ્યા નથી જેના લીધે અરજદારોની હાલત ભારે કફોડી થઈ ગઈ છે અને ફાયર એનઓસીની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળનો વિસ્તાર મળીને કુલ 750 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી હવે આ તમામ મિલકતો અને સંકુલોના માલિકો હવે ફાયર એનઓસી મેળવવા માટે મહાપાલિકા કચેરીના પગથીયા ઘસી રહ્યા છે પરંતુ કોઈ સક્ષમ સાઇનિંગ ઓથોરિટી હાજર ન હોય અરજદારોને ધરમ ધક્કા થઇ રહ્યા છે.
દરમિયાન તાજેતરમાં થોડા દિવસ પૂર્વે મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને રાજકોટ ફાયર બ્રિગેડ માટે સક્ષમ અધિકારી સહિતનો સ્ટાફ ફાળવવા માંગણી કરવામાં આવી હતી પરંતુ આ જ દિવસ સુધી રાજકોટને કોઈ અધિકારી ફાળવવામાં આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech