હરેન પંડ્યા હત્યા કેસના આરોપીની સજા માફી અંગે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની અરજી પર વિચાર કરવા SCનો ઈન્કાર

  • July 05, 2024 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કેસમાં દોષિતની સજાની માફીની અરજી પર નિર્ણય લેવા રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. 


મળતી માહિતી પ્રમાણે હરેન પંડ્યા હત્યા કેસના આરોપીની સજા માફી અંગે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની અરજી પર વિચાર કરવા SCએ ઈન્કાર કરી દિધો છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે એ હકીકતની નોંધ લીધી હતી કે તેમની અરજી 3 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણી માટે આવી રહી છે અને તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.


હરેન પંડ્યા કોણ હતા...

હરેન પંડ્યા ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. હરેન પંડ્યાની અમદાવાદના લો ગાર્ડન એરિયામાં 26 માર્ચ 2003ના રોજ વ્હેલા સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application