અઠવાડીયા બાદ વધુ ઠંડી પડી તેવી હવામાન ખાતાની આગાહી
જામનગરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધીમે-ધીમે ઠંડીની શઆત થઇ છે, લઘુતમ તાપમાન હવે 20 ડીગ્રીની અંદર એટલે કે 18 ડીગ્રીએ પહોંચી ગયું છે, ગઇકાલે રાત્રે વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી અને આજે લઘુતમ તાપમાન થોડુ ઘટયું હતું, લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 18 ડીગ્રી, મહત્તમ તાપમાન 32.5 ડીગ્રી, હવામાં ભેજ 67 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, ત્રણ-ચાર દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
ઠંડીની મોસમ આ વખતે લગભગ એકાદ મહીનો મોડી શ થઇ છે, જેને કારણે શિયાળુ પાકને પણ અસર થશે, સિઝનમાં ભારે ફેર બદલાવ આવ્યા છે, દર વર્ષે નવરાત્રી બાદ ધીમે-ધીમે ઠંડીનું આગમન થાય છે અને દિવાળી ઉપર તો તાપમાન 12 થી 15 ડીગ્રી જેવું રહે છે, પરંતુ અત્યારે હાલત એવી છે કે, દેવદિવાળી નજીક છે ત્યારે હજુ પણ ઠંડીનો કોઇ મોટો ચમકારો દેખાયો નથી અને રાબેતા મુજબ વાતાવરણ હોવાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે, બે-ત્રણ દિવસથી ઠંડીએ પાપા પગલી કરી છે ત્યારે મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા પણ ધીરે-ધીરે વધવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech