રવિવારે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન-મજૂર મોરચાએ હરિયાણા અને પંજાબ સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પીએમ મોદીનું પૂતળું બાળ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ આજે શંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેકને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે નવદીપ જલવેડા અને અન્ય ખેડૂત આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ ખેડૂતોએ ખેડૂત આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાનનું પૂતળું દહન કર્યું હતું. ખેડૂતોએ માંગ કરી હતી કે તેમના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ દરમિયાનખેડૂતોએ ચેતવણી આપી શંભુ બોર્ડર પાસે રેલ્વે લાઇનને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી હતી.
ખેડૂતો એમએસપી સહિત તેમની અનેક માંગણીઓને લઈને ઘણા સમયથી શંભુ બોર્ડર પર ઉભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે. દેશમાં હવે લોકસભા ચૂંટણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે. મંત્રણા દરમિયાન સરકાર ઘણા મુદ્દાઓ પર સહમત હતી પરંતુ ખેડૂતો તમામ મુદ્દાઓ સ્વીકારવા પર અડગ હતા.
ભારતીય કિસાન મજદૂર યુનિયનના જિલ્લા પ્રમુખ બૂટા સિંહ ખરજપુરે કહ્યું કે કેન્દ્ર સરકારના ઈશારે હરિયાણા સહિત અનેક રાજ્યોની સરકારોએ અમારા ખેડૂત નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ખેડૂત નેતાઓ જેલમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ખેડૂત આગેવાને કહ્યું કે આંદોલનકારી ખેડૂતો પર આટલા અત્યાચાર અને મનમાની કર્યા પછી પણ કેન્દ્ર સરકાર રોકાઈ રહી નથી.
સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ
ખેડૂતો એમએસપી સહિત તેમની અનેક માંગણીઓને લઈને ઘણા સમયથી શંભુ બોર્ડર પર ઉભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે. દેશમાં હવે લોકસભા ચૂંટણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે. મંત્રણા દરમિયાન સરકાર ઘણા મુદ્દાઓ પર સહમત હતી પરંતુ ખેડૂતો તમામ મુદ્દાઓ સ્વીકારવા પર અડગ હતા.
કેન્દ્ર સરકાર પર અત્યાચારનો આરોપ
ભારતીય કિસાન મજદૂર યુનિયનના જિલ્લા પ્રમુખ બૂટા સિંહ ખરજપુરે કહ્યું કે, કેન્દ્ર સરકારના ઈશારે હરિયાણા સહિત અનેક રાજ્યોની સરકારોએ અમારા ખેડૂત નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ખેડૂત નેતાઓ જેલમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ખેડૂત આગેવાને કહ્યું કે આંદોલનકારી ખેડૂતો પર આટલા અત્યાચાર અને મનમાની કયર્િ પછી પણ કેન્દ્ર સરકાર રોકાઈ રહી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech