ગાંધીનગર જિલ્લાના ૨૮ ગામના ખેડૂતો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘેરાવ કરશે

  • January 11, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાલા પ્રોજેકટમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવામાં આવનાર છે.આ માટે બે હજાર જેટલા ખેડૂતોના ખાતામાં પાડવામા આવેલી કાચી નોંધ પાડવામા આવી તે પાકી થઇ ગઇ છે ત્યારે તે રદ કરવાની માંગ અગાઉ કમલમ ખાતે ધરણા કર્યા હતા જેમાં ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ તે અગાઉ પાડવામાં કાર્યવાહી થઇ નથી ત્યારે હવે આ ખેડૂતો દ્રારા ઉગ્ર આંદોલન કરવાના મુડમા આવી ગયા છે.અસરગ્રસ્ત ખેડૂતોની ઉનાવામાં બેઠક મળી હતી.જેમા સરકારી કાર્યક્રમોનો વિરોધ નોંધાવાની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરે જઇને ઘેરાવો કરવાની પણ રણનીતિ બનાવી છે.

ભારતમાલા પ્રોજેકટ ફિઝીબીલીટી રિપોર્ટ જ ખોટો હોવાના આક્ષેપ અને પાકી નોંધ રદ કરવાની માંગ સાથે ગાંધીનગર જિલ્લાના ૨૮ ગામોના ખેડૂતો દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.



અગાઉ ૫૦૦ જેટલા ખેડૂતોએ કલેકટરનો ઘેરાવો કર્યા બાદ કમલમ્ ખાતે પણ ધરણા કર્યા હતા યાં જિલ્લા પ્રમુખ દ્રારા પાકી નોંધ રદ કરાવવા માટે અને નવો રિપોર્ટ બનાવવા માટે મુખ્યમંત્રીને મળવા લઇ જવાની લોલીપોપ આપી હતી પરંતુ તે અંગે કોઇ ઠોસ કામગીરી નહીં થતા ખેડૂતોનો રોષ વધુ વ્યાપક બન્યો છે ત્યારે થોડા દિવસ પહેલા ગુરાહે ઉનાવા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી જેમાં સરકારની નીતિ વિધ્ધ ઉગ્ર આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હવે હાજર જે પણ અધિકારી હોય તેમને આવેદનપત્ર આપવામાં આવશે તથા જિલ્લ ામાં જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને પણ આવેદનપત્ર આપીને તેમના ઘરે જઇને ઘેરાવો કરવાની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં જે પણ સરકારી કાર્યક્રમો થાય તેમાં પહોંચી જઇને ત્યાં વિરોધ નોંધાવીને ત્યાં હાલ તો ખેડૂતો લડી લેવાના મુડમાં છે પરંતુ સરકાર આ આંદોલન ઉભુ થાય તે પહેલા જ તોડી નાંખવાના મુડમાં છે જેના કારણે હાલ ગુરાહે બેઠકો કરવી પડે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application