ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં આવતીકાલે નેત્ર કેમ્પનું આયોજન

  • April 26, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી માનવસેવા સમિતિ સંચાલિત એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે રવિવાર તા. 27મીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


મૂળ સલાયાના વતની અને હાલ કેન્યા સ્થિત સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ બદિયાણી પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્ર કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેક્નિશીયનો તેઓની સેવાઓ આપશે. મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.


આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application