જાહ્નવી કપૂરે રીવીલ કરી પાપારાઝીઓ ની સચ્ચાઈ
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જાહ્નવી આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને અલગ-અલગ ઈન્ટરવ્યુમાં ભાગ લઈ રહી છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે પાપારાઝી કેવી રીતે કામ કરે છે અને ખુલાસો કર્યો કે એમની પાસે દરેક સેલિબ્રિટીનું રેટ કાર્ડ હોય છે.
જાહ્નવીને પૂછવામાં આવ્યું કે એરપોર્ટ લુક, જિમ લુકની તસવીરો ક્લિક કરવા માટે સેલિબ્રિટીઝ ખુદ પાપારાઝી કહે છે, ત્યારે અભિનેત્રીએ કહ્યું કે પાપારાઝી અમારી કારને ફોલો કરે છે કારણ કે તેમને દરેક ફોટો માટે પૈસા મળે છે.
એક વાતચીતમાં જાહ્નવીને પૂછવામાં આવ્યું કે તસવીરો ક્લિક કરવા માટે સેલિબ્રિટીઝ ખુદ પાપારાઝી ને કહે છે? તેના પર અભિનેત્રીએ કહ્યું કે હા, આવું થાય છે, પરંતુ તે વ્યક્તિ અને કલાકારો પર નિર્ભર કરે છે. મારી ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે તેથી એમને મારા ફોટોગ્રાફ્સ લેવા એરપોર્ટ પર બોલાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ફિલ્મનું પ્રમોશન નથી થઈ રહ્યું અને હું શૂટિંગ માટે નથી જતી. હું ક્યાંક ગાયબ થઈ જવા માંગુ છું, તે સમયે અમે એમને નથી બોલાવતા.
આગળ જાહ્નવીએ કહ્યું કે, 'પાપારાઝી અમારી કારને ફોલો કરે છે કારણ કે તેમને દરેક ફોટો માટે પૈસા મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દરેક સેલિબ્રિટી પાસે રેશન કાર્ડ કહો કે રેટ કાર્ડ હોય છે. દરેક સેલિબ્રિટીના ફોટોનો રેટ નક્કી છે. જો તમારી કિંમત વધારે છે તો પાપારાઝી પોતે આવે છે. તમારી કારને ફોલો કરે છે પરંતુ જો તમારી કિંમત એટલી ઊંચી ન હોય તો સેલેબ્સ પોતે જ તેમને બોલાવે છે અને ક્યારેક તેઓ આકસ્મિક રીતે આવી જાય છે.
જ્હાન્વી કપૂરે એ પણ જણાવ્યું કે તેણીએ પાપારાઝીને તેના જિમની બહાર આવવાનું બંધ કરવાની વિનંતી કરી હતી અને તેઓ આ વાત પર સંમત થયા હતા. અભિનેત્રીએ કહ્યું કે હું નહોતી ઈચ્છતી કે તે મને દરરોજ જીમની બહાર ચુસ્ત કપડામાં જુએ. પછી આ ફોટો વાયરલ થાય તો લોકો કહે અમે જાણીજોઇને એમને બોલાવીએ છીએ.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech