રાજકોટમાં રોગચાળો બેકાબૂ: તાવ, શરદી, ઉધરસ સહિતના ૧૪૯૦ કેસ

  • April 08, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ભરઉનાળે રોગચાળો બેકાબુ બનતા દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલાના દ્રશ્યો સર્જાયા છે. ચોમાસા અને શિયાળામાં જ જોવા મળતા મચ્છરજન્ય તાવના કેસ ઉનાળામાં પણ જોવા મળી રહ્યા છે. મહાપાલિકાની આરોગ્ય શાખાના વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર શહેરમાં મેલેરિયાનો એક, ડેંગ્યુનો એક, ચિકનગુનિયાનો એક, શરદી ઉધરસના ૯૨૬, તાવના ૩૧૨ અને ઝાડા ઉલ્ટીના ૨૪૯ કેસ મળી રોગચાળાના કુલ ૧૪૯૦ કેસ મ્યુનિ.રેકર્ડ ઉપર નોંધાયા છે. ખાસ કરીને લેબોરેટરી રિપોર્ટમાં કઇં ન આવે તેમ છતાં દર્દીઓ સાત આઠ દિવસ સુધી સાજા ન થાય તેવા વાયરલ ઇન્ફેકશનના કેસ વધુ મળી રહ્યા છે તેમ મ્યુનિ.તબીબી વર્તુળોએ જણાવ્યું હતું.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યતં આવશ્યક છે. આ રોગચાળા દ્રારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તમામ સ્તરે ઘનિ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ૬,૬૬૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૦૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

સૂત્રોએ ઉમેયુ હતું કે ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૦૯૮ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરે સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૨૧ અને કોર્મશીયલ ૨૩૫ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.
મ્યુનિ.તબીબોએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦  ૧૦  ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application