આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલા બાદ ભારત સરકારે બદલો લેવા માટે પાંચ મોટા નિર્ણયો લીધા છે. ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવા જણાવ્યું છે. આ સાથે, અટારી સરહદ બંધ કરવામાં આવી છે અને સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.
ભારત સરકારે આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. તે જ સમયે ગૃહમંત્રી અમિત શાહ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે જણાવશે.ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક સેનાનો જવાન શહીદ થયો છે. આતંકવાદીઓ પર્વતની ટોચ પર આવેલા ગાઢ જંગલોમાં છુપાયેલા છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેના, પેરા અને જેકેપીની સંયુક્ત ટીમ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech