ઘણીવાર લોકોને એકબીજાને કહેતા સાંભળ્યા હશે કે એક જ થાળીમાંથી ખાવાનું ખાવાથી અથવા એકબીજાનું ખાવાનું ખાવાથી કપલ્સ વચ્ચે પ્રેમ વધે છે. જો અત્યાર સુધી આવું માનતા હોય તો સાવધાન થઈ જાવ. એકબીજાનું એંઠું ખાવાથી પ્રેમ વધે કે ન વધે બીમાર થવાનું જોખમ ચોક્કસ વધી શકે છે. શાસ્ત્રો અનુસાર કોઈ વ્યક્તિનું એંઠું ભોજન ખાવાથી અન્ય વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. પરંતુ અહીં વાત માત્ર શાસ્ત્રોની જ નથી, વિજ્ઞાન અને આયુર્વેદ પણ વ્યક્તિને એંઠું ફૂડ ન ખાવાની સલાહ આપે છે. જાણો કે એંઠો ખોરાક ખાવાથી વ્યક્તિના સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
એંઠો ખોરાક ખાવાના ગેરફાયદા:
ચેપનું જોખમ
આયુર્વેદ અનુસાર એક જ થાળીમાંથી એંઠો ખોરાક ખાવાથી વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ રહે છે. જો કોઈ એવા વ્યક્તિ પાસેથી ખોરાક ખાઈ રહ્યા છો જે પહેલાથી જ કોઈ પ્રકારના બેક્ટેરિયલ અથવા વાઈરલ ઈન્ફેક્શનથી પીડિત હોય તો ખોરાકની સાથે તે બેક્ટેરિયા અથવા વાઈરસ પણ તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને ચેપનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે લોકોને એક જ થાળીમાંથી ખાવાની સલાહ આપવામાં આવતી નથી.
શ્વાસની દુર્ગંધની સમસ્યા
જો કોઈ વ્યક્તિ સાથે બેસીને તેનો એંઠો ખોરાક ખાઈ રહ્યા છો જેને પહેલાથી જ શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યા છે, તો આ સમસ્યા તમને પણ અસર કરી શકે છે. એવો ખોરાક ખાવાથી શ્વાસની દુર્ગંધ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે.
મોઢામાં ચાંદા
ઘણી વખત લોકો એ વાતથી અજાણ હોય છે કે જે વ્યક્તિ સાથે તેઓ તેમની ફૂડ પ્લેટ શેર કરી રહ્યા છે તેની લાળને કારણે ચેપ ફેલાવાનું જોખમ વધી શકે છે. આમ કરવાથી અજાણતા જ તે વ્યક્તિના તમામ કીટાણુઓ અને વાઈરસ લઈ રહ્યા છો. જે શરદી, ઉધરસ અને ફ્લૂ અથવા ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિ તરફ દોરી શકે છે. અન્ય કોઈની લાળ દ્વારા શરીરમાં પ્રવેશતા જંતુઓ અમુક સમયે તમારા માટે મોંમાં ચાંદા અથવા અન્ય મૌખિક રોગોનું કારણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech