શિયાળામાં વજન ઓછું કરવું સરળ છે. ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી મળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. શિયાળામાં સલાડના ઘણા વિકલ્પો છે. ગાજર, મૂળાથી લઈને બીટરૂટ અને કાકડી સુધી તમે સલાડના રૂપમાં ઘણી વસ્તુઓ કાચી ખાઈ શકો છો. શિયાળામાં એવા ફળો પણ મળે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે વેજીટેબલ જ્યુસ, સૂપ અને બીજી ઘણી રીતે ખાઈને વજન ઘટાડી શકો છો.
શિયાળામાં વજન ઘટાડવા માટે શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી
શિયાળા દરમિયાન આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ જો તમે પેટ ભર્યા પછી પણ લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ છો તો પણ વજન ઘટે છે. લીલા શાકભાજી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે આહારમાં પાલક, બટુઆ, મેથી, સરસવ અને લીલોતરી જેવા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
બ્રોકોલી
લીલી બ્રોકોલી પણ શિયાળાનું શાક છે. બ્રોકોલી વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. બ્રોકોલીને બાફીને અથવા સલાડ અને સૂપના રૂપમાં ખાઈ શકાય છે. બ્રોકોલીમાં ભરપૂર પોષણ મળે છે. વજન ઘટાડવા માટે બ્રોકોલી શ્રેષ્ઠ શાકભાજી છે.
સલગમ
શિયાળામાં સલગમનું સેવન અવશ્ય કરવું જોઈએ. સલગમ ખાવાથી વજન ઘટે છે. સલગમમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ લગતી નથી .
શક્કરિયા
કેટલાક લોકો એવું માને છે કે શક્કરિયા મીઠા હોય છે તેથી તેને ખાવાથી વજન વધી શકે છે. પરંતુ એવું નથી, શક્કરિયા વજન ઘટાડવામાં અસરકારક શાકભાજી છે. શક્કરીયા ફાઈબરથી ભરપૂર શાકભાજી હોઈ છે. શક્કરિયા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
બીટરૂટ
શિયાળામાં બીટરૂટનું સલાડ બનાવીને ખાવું જોઈએ. બીટરૂટ ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. બીટરૂટ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. બીટરૂટ ખાવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે. ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરને કારણે બીટરૂટ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech