ECI દ્વારા ૧૦૦ દિવસોમાં ૨૧ નવી પહેલ શરુ કરાઈ

  • May 30, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચએ છેલ્લા ૧૦૦ દિવસમાં ૨૧ નવી પહેલ શરૂ કરી છે. આ પગલાંઓમાં પ્રક્રિયાગત સુધારાઓ, તાલીમ કાર્યક્રમો અને ચૂંટણી પ્રક્રિયાના હીતધારકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. ૨૬મા મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશકુમારના કાર્યભાર સંભાળ્યાના પ્રથમ ૧૦૦ દિવસોમાં હેતુપૂર્ણ, વ્યવહારિક અને સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૫માં યોજાયેલી મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઈઊઘત) ની પરિષદ દરમિયાન ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીની ઉપસ્થિતિમાં ઈઊઈ દ્વારા ઊઈઈંના પુન:ઉર્જાવાન બનાવવા માટેનું વિઝન ઘડવામાં આવ્યું હતું.
મતદારો સુધી પહોંચ વધારવા માટે ઊઈઈં એ મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા ૧,૫૦૦થી ઘટાડીને ૧,૨૦૦ કરી છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જેમ કે ગેટેડ સોસાયટીઓ અને હાઈરાઈઝ કોલોનીમાં વધારાના મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. કમિશનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈપણ મતદાતાને મતદાન કરવા માટે ૨ કિમીથી વધુ મુસાફરી કરવાની જરૂર ન પડે. મતદાર માહિતી સ્લિપને સ્પષ્ટ વિગતો સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સિરીયલ અને ભાગ નંબર સ્પષ્ટ રીતે દેખાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે. મતદારોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવા માટે, દરેક મતદાન મથકના પ્રવેશદ્વાર પર મોબાઇલ ડિપોઝિટ સુવિધા સ્થાપિત કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથ હવે મતદાન મથકના પ્રવેશ દ્વારથી ૧૦૦ મીટરથી આગળના અંતરે લગાવી શકાશે, જે અગાઉ મતદાન મથક પરિસરથી ૨૦૦ મીટર દૂર લગાવવામાં આવતા હતા.
યુઝર ઇન્ટરફેસને સરળ બનાવવા માટે, એક સિંગલ-પોઇન્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ - ઊઈઈંગઊઝ વિકસાવવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય હાલના ૪૦થી વધુ એપ્સ/વેબસાઇટ્સને બદલે એક જ બિંદુ પર તમામ હિતધારકોને બધી સેવાઓ પૂરી પાડવાનો છે. ઊઈઈંગઊઝ ના કેટલાક મોડ્યુલ વર્તમાન પેટા-ચૂંટણીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ સુધીમાં સમગ્ર ડેશબોર્ડ વિવિધ હિતધારકો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.
ઊઈઈં એ ભારતના રજિસ્ટ્રાર જનરલ પાસેથી મૃત્યુ નોંધણી ડેટાનું સીધું સંકલન શરૂ કર્યું છે, જેથી મૃતક મતદારોને યાદીમાંથી ચકાસીને સમયસર દૂર કરી શકાય. બૂથ લેવલ ઓફિસર્સ (ઇકઘત) ચકાસણીમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જેમાં ફિલ્ડ-લેવલ તપાસ પછી ડેટા અપડેટ કરવામાં આવશે.૧૯૫૦ના લોક પ્રતિનિધિત્વ અધિનિયનમાં સૂચવ્યા મુજબ પેટાચૂંટણી પહેલા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે પેટાચૂંટણી પહેલા હાથ ધરવામાં આવનારી આ પ્રકારની પહેલી કવાયત છે.
રાજકીય હીતધારકો સાથે નિયમિત સંવાદ પ્રક્રિયાને સંસ્થાકીય બનાવવાના પગલામા ઊઈઈં એ દેશભરમાં રાજકીય પક્ષોના ૨૮,૦૦૦થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી સાથે ૪,૭૧૯ બેઠકોનું આયોજન કર્યું. આમાં ઈઊઘ સ્તરે ૪૦ બેઠકો, ઉઊઘ સ્તરે ૮૦૦ બેઠકો અને ઊછઘ સ્તરે ૩,૮૭૯ બેઠકોનો સમાવેશ થાય છે.
કમિશને નવી દિલ્હીમાં અઅઙ, ઇઉંઙ, ઇજઙ, ઈઙઈં(ખ) અને ગઙઙ સહિત માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ પરામર્શ કર્યો છે, જેમાં વર્તમાન પેટાચૂંટણીઓ પછી રાષ્ટ્રીય રાજકીય પક્ષો અને રાજ્યકક્ષાના રાજકીય પક્ષો સાથે વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઊઈઈં એ બૂથ લેવલ ઓફિસર્સ , સુપરવાઇઝર અને બૂથ લેવલ એજન્ટ્સ  માટે તાલીમ કાર્યક્રમોનો વિસ્તાર કર્યો છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ  ખાતે ૩,૫૦૦ થી વધુ ઇકઘત/ઇકઘ સુપરવાઇઝર્સને તાલીમ આપવામાં આવી છે, જે હવે આગામી વર્ષોમાં એક લાખથી વધુ ઇકઘ,  સુપરવાઇઝર્સને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે. આ સુપરવાઇઝર ત્યારબાદ ૧૦.૫ લાખથી વધુ કાર્યકર્તાઓ ધરાવતા મોટા ઇકઘ નેટવર્કને તાલીમ આપશે.
આ વર્ષે જુલાઈના મધ્ય સુધીમાં લગભગ ૬,૦૦૦ વધુ ઇકઘ/ઇકઘ સુપરવાઈઝર લગભગ ૨૦ બેચમાં તાલીમ મેળવશે. ખાસ ધ્યાન બિહાર, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, કેરળ અને આસામ જેવા રાજ્યો પર કેન્દ્રિત કરવામાં આવશે જ્યાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
ઓળખની સુલભતા હેતુ તમામ ઇકઘને પ્રમાણિત ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવશે. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના ઇકઅ ને પણ તાલીમ આપવામાં આવી છે,  જેમાં બિહાર, તમિલનાડુ અને પુડુચેરીના પ્રારંભિક બેચ ઈંઈંઈંઉઊખ ખાતે સત્રો પૂર્ણ કરી રહ્યા છે.
ઈઊઘ મીડિયા સેલના અધિકારીઓને મીડિયા કોમ્યુનિકેશન પર ઓરિએન્ટેશન આપવામાં આવ્યું છે, જેનો હેતુ જાહેર સંદેશાવ્યવહારની ગુણવત્તા અને નિયમિતમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત, બિહારના પોલીસ અધિકારીઓ માટે તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અલગ તારવવામાં આવેલા હિતધારકોની ૨૮ શ્રેણીઓ માટે એક વ્યાપક તાલીમ માળખું વિકસાવવામાં આવ્યું છે. આ મોડ્યુલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને ૧૯૫૧, મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ અને ચૂંટણી આચાર નિયમો,૧૯૬૧ ની જોગવાઈઓ તેમજ ઊઈઈં સૂચનાઓ પર આધારિત છે. આ હિતધારકો ઈંઈંઈંઉઊખ ખાતે પણ તાલીમ લેશે.
અન્ય સુધારાઓ ઉપરાંત, ઊઈઈં એ તેના મુખ્યાલયમાં બાયોમેટ્રિક હાજરી લાગુ કરી છે, ઊ-ઘરરશભય સિસ્ટમ સક્રિય કરી છે અને નિયમિત ઈઊઘ-સ્તરની સમીક્ષા બેઠકો શરૂ કરી છે. આ પગલાંનો હેતુ આંતરિક સંકલન અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.
ઊઈઈં એ ઈંઈંઈંઉઊખ  નવી દિલ્હી ખાતે ભારતના ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સેલ્સની રાષ્ટ્રીય પરિષદ પણ બોલાવી હતી. આ પરિષદમાં ભારતની સુપ્રીમ કોર્ટ અને દેશભરની તેની બેન્ચ સહિત ૨૮ ઉચ્ચ અદાલતોના વરિષ્ઠ વકીલો, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ અને ૩૬ ઈઊઘએ ભાગ લીધો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય ઉભરતા પડકારોને વધુ અસરકારક રીતે પહોંચી વળવા માટે કમિશનના કાનૂની માળખાને પુન: ઉર્જાવાન કરવાનો અને સુમેળ વિકસાવવાનો હતો.
ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાયેલી ૨૧ નવીન પહેલોની યાદીમાં  મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા ૧૨૦૦ સુધી મર્યાદિત કરવામાં આવી છે. હાઈ રાઈઝ/ગેટેડ કોલોનીઓમાં વધારાના મતદાન મથકો સ્થાપવામાં આવશે.  મતદાર યાદી અપડેટ કરવા માટે, મૃત્યુ નોંધણીનો ડેટા સીધો છૠઈં ડેટાબેઝમાંથી મેળવવામાં આવશે તથા ચકાસણી પછી ડેટા અપડેટ કરવામાં આવશે. મતદાર માહિતી સ્લિપને વધુ મતદાર મૈત્રીપૂર્ણ બનાવવામાં આવશે: મતદારનો સીરીયલ નંબર અને ભાગ નંબર હવે વધુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથકોની બહાર મોબાઇલ ડિપોઝિટ સુવિધાની જોગવાઈ. ઈઊઘ/ઉઊઘ/ઊછઘ સ્તરે સમગ્ર ભારતમાં સર્વપક્ષીય બેઠકો યોજાઈ. ૪,૭૧૯ બેઠકો યોજાઈ (ઈઊઘ-૪૦/ ઉઊઘ-૮૦૦/ઊછઘ-૩૮૭૯); રાજકીય પક્ષોના ૨૮,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોના વડાઓ - અઅઙ/ઇઉંઙ/ઇજઙ/ઈઙઈં(ખ)/ગઙઙ સાથે ચૂંટણી પંચની બેઠકો
ઈંઈંઈંઉઊખ ખાતે  (બિહાર, તામિલનાડુ અને પુડુચેરી) રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો.ચૂંટણી પ્રચાર માટે અંતરના ધોરણોમાં બદલાવ : ઉમેદવારો/રાજકીય પક્ષોને હવે ૨૦૦ મીટરની જગ્યાએ ૧૦૦ મીટરથી વધુ દૂર બૂથ બનાવવાની મંજૂરી. નવા ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ - ઊઈઈંગઊઝની અમલવારી, જેનો ઉદ્દેશ્ય બધા હિસ્સેદારોને એક જ બિંદુ પર બધી સેવાઓ પૂરી પાડવાનો છે (૪૦થી વધુ એપ્સ/વેબસાઇટ્સને બદલે માત્ર એક જ એપ) ડુપ્લિકેટ ઊઙઈંઈ નંબરની સમસ્યા ઉકેલાઈ- યુનિક ઊઙઈંઈ નંબરો માટે નવી પદ્ધતિ અમલી. મતદાર યાદી તૈયાર કરવાની અને ચૂંટણી યોજવાની સમગ્ર પ્રક્રિયામાં ૨૮ હિતધારકોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મતદારો, ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો, ઉમેદવારો અને અન્યનો સમાવેશ થાય છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦, ૧૯૫૧, મતદારોની નોંધણી નિયમો ૧૯૬૦, ચૂંટણી આચાર નિયમો, ૧૯૬૧ અને ઊઈઈં  દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓના આધારે કરવામાં આવ્યા હતા.આ દરેક હિસ્સેદારો માટે કમિશનના કાયદા, નિયમો અને સૂચનાઓના આધારે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.ઊઈઈં અને ઈઊઘનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સેલ્સની રાષ્ટ્રીય પરિષદનું આયોજન સંકલનને મજબૂત બનાવવા અને કાનૂની માળખાને પુન:ઉર્જિત કરવા માટે કરવામાં આવ્યું છે.
ઇકઘને સ્ટાન્ડર્ડ ફોટો આઈડી કાર્ડ મળશે. ઈંઈંઈંઉઊખ, નવી દિલ્હી ખાતે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો
ઈંઈંઈંઉઊખ ખાતે ૩૫૦૦ થી વધુ બૂથ લેવલ સુપરવાઇઝર તાલીમ મેળવી છે.આગામી ૪૫ દિવસમાં ૨૦બેચમાં લગભગ ૬૦૦૦ ઇકઘ/ઇકઘ સુપરવાઇઝર તાલીમ મેળવશેઆગામી થોડા વર્ષોમાં લાખથી વધુ ઇકઘ સુપરવાઇઝર તાલીમ મેળવશે. ઈંઈંઈંઉઊખ ખાતે તમામ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ઈઊઘ કાર્યાલયોના મીડિયા અધિકારીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો.ઈંઈંઈંઉઊખ ખાતે બિહારના પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ઊઈઈં સંકુલમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ. ઈ-ઓફિસનું સંચાલન અને અમલીકરણ.તમામ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ઈઊઘ સાથે ઊઈઈં ની નિયમિત બેઠકો અને ઊઈઈં ના વિવિધ વિભાગો સાથે તેમની કચેરીઓના કાર્યનો સુમેળ સાધવો વગેરેનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application