આર્થિક સંકડામણના કારણે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપીમાં ઝંપલાવ્યું

  • April 18, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુરતના કામરેજ તાલુકામાં આર્થિક સંકડામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.


ઉલ્લેખનીય છે કે મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા. મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી છે.


પોલીસે જણાવ્યું કે, મૃતક હીરાના કારીગર તરીકે છૂટક મજૂરી કરતો હતો. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરિવારને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય મૃતક મહિલા પણ માનસિક બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News