વર્ષ 2024નું છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ચંદ્રગ્રહણનું સૂતક પણ ભારતમાં માન્ય રહેશે નહીં. જો કે, તમારે આ સમય દરમિયાન ચંદ્રગ્રહણ સંબંધિત ધાર્મિક નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે આ સમયે તમારે કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું, વાસી ખોરાક ખાવાનું ટાળવું, દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો વગેરે. આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે ચંદ્રગ્રહણના દિવસે કેટલાક ઉપાય કરશો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. આજે અમે તમને ચંદ્રગ્રહણના આવા જ કેટલાક ઉપાયો વિશે માહિતી આપીશું.
ચંદ્રગ્રહણ 2024
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 6:12 વાગ્યે શરૂ થશે અને સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણ માટેના ઉપાય
જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારી માતા સાથેના સંબંધો પણ બગડી શકે છે. તમારી સાથે પણ આવું કંઈક થાય છે તો તમારે ચંદ્રગ્રહણના દિવસે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક સ્થિતિ પણ સુધરે છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે.
ચંદ્રગ્રહણના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો છો તો કુંડળીમાં રહેલા ચંદ્ર દોષ દૂર થાય છે. આ દિવસે તમે ચોખા, દૂધ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે અને ચંદ્ર પણ બળવાન બને છે. આ ઉપાય તમારા કરિયરમાં પ્રગતિ આપે છે. આર્થિક લાભ મળે છે અને તમારી સંપત્તિમાં પણ વધારો થાય છે.
જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો છો તો તમને આર્થિક લાભ થાય છે.
જો તમારી ઉપર દેવું છે અને પૈસા ટકતા નથી, તો ચંદ્રગ્રહણના દિવસે તાળું ખરીદો અને રાત્રે તેને ચાંદનીમાં રાખો. આ તાળાને સવારે કોઈ મંદિરમાં રાખો. માન્યતાઓ અનુસાર આમ કરવાથી જલ્દી જ તમારું દેવું દૂર થઈ જશે. તમને આવકના ઘણા સ્ત્રોત મળવા લાગશે.
જો તમે ઈચ્છિત નોકરી મેળવવા માંગો છો અથવા તમારી કારકિર્દીમાં ઉંચી છલાંગ લગાવવા માંગો છો. તો તમારે ચંદ્રગ્રહણના દિવસે કાગડાને મીઠા ચોખા ખવડાવવા જોઈએ. આ તમને તમારા કારકિર્દી ક્ષેત્રમાં લાભ આપશે. આ સાથે કીડીઓને લોટ ખવડાવવાથી પણ લાભ મેળવી શકો છો. આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMપોરબંદર જિલ્લાના ૬૬ લોકોના નેત્રમણીના ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા
May 15, 2025 02:27 PMલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMવેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત
May 15, 2025 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech