જામનગર શહેરની સંસ્થા "'આગાઝ ફાઉન્ડેશન " દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ

  • May 30, 2025 11:16 AM 


"'આગાઝ ફાઉન્ડેશન " દ્વારા ગત તા. ૨૩ મે શુક્રવારે,બેડેશ્વર વિસ્તાર માં અને ૨૫ મે રવિવારે આરબ જમાત ખાના પાસે સૌ પ્રથમ વખત તમામ સમાજ ના લોકો માટે કોઈપણ પ્રકારના નફા વગર રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં તમામ સમાજ ના લોકોએ લાભ લીધો હતો. આ આયોજન થી ગણાબધા વિધાર્થીઓ ના વાલીઓ ને વધુ પડતા ચોપડા ના ખર્ચ થી રાહત મળી હતી. આ સ્થળ ની શુભેરછા મુલાકાતે જુદી જુદી સામાજિક સંસ્થાઓ, સમાજ ના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો આવ્યા હતા.

​​​​​​​મુલાકાતે આવેલા મહેમાનો એ હાલ ચાલી રહેલા યુગમાં આગાઝ ફાઉન્ડેશન દ્વારા કોઈપણ ધર્મ કે નાત-જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો આ સેવાનો લાભ લઈ શકે તેવું આયોજન કરીને તમામ સમાજ અને સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું કહીને આ કાર્ય ની ખુબજ સરાહના કરી હતી..


સાથે-સાથે આ સેવાલક્ષી કાર્ય ની અભૂતપૂર્વ સફળતા ને જોઈને આવતા ભવિષ્ય માં પણ આ ફાઉન્ડેશન દ્વારા આવા નેક અને સેવાલક્ષી કાર્યો અવિરતપણે ચાલતા રહે તેવી આશા સાથે શુભેરછા પાઠવી હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા આગાઝ ફાઉન્ડેશન ની પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી તેવું ફાઉન્ડેશન નાં પ્રમુખ જનાબ મહમદ હુસેન કાઝી એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application