સાંજે સિદસરમાં અડધો કલાક અંધારપટ્ટ

  • May 31, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ભાવનગર શહેરના સીમાડે આવેલા સિદસર વિસ્તારમાં સાંજે ’ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ વાગ્યા સુધી બ્લેક આઉટ રાખવાનો રહેશે.જેમાં ૭.૪૫ વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં ૩૦ મિનિટ સુધી અંધારપટ કરવાના રહેશે.
  આજે શનિવારે ભાવનગર સહિત ગુજરાતમાં ફરી એક વખત નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતાં કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા માટે આગોતરી તૈયારીના ભાગરૂપે આયોજિત મોકડ્રીલ અંતર્ગત સિદસર ગામમાં રાત્રિના સુમારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. જ્યારે એક સ્થળની પસંદગી કરી મોકડ્રીલ યોજવામાં આવશે.
  પહલગામમાં હુમલો થયા બાદ  ભારતીય સૈન્યએ શૌર્ય સાથે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડયા પછી પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી યુદ્ધના સમયે સિવિલ ડિફેન્સ ઉપર સરકારે વધુ ભાર મુકી મોકડ્રીલ અને બ્લેકઆઉટ કર્યું હતું. હજુ પણ ઓપરેશન સિંદૂર શરૂ હોય, જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ સંવેદનશીલ જિલ્લાઓના વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવા સૂચના આપી છે. જેને લઈ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે ભાવનગર સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  ફરી એક વાર સિવિલ ડિફેન્સ કવાયત હાથ ધરવા અને તેના માટે કરવામાં આવેલી તૈયારી અંગે સૂચના આપી હતી.
  જે અનુસાર ભાવનગર શહેરના સીમાડે આવેલા સિદસર વિસ્તારમાં આજે તા.૩૧ને શનિવારે સાંજે ’ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત  ૭.૪૫ થી ૮.૧૫ વાગ્યા સુધી બ્લેક આઉટ રાખવાનો રહેશે.જેમાં ૭.૪૫ વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં ૩૦ મિનિટ સુધી અંધારપટ કરવાના રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application