આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
શહેરના સુભાષનગર, પંચવટી ચોક નજીક માં ત્રણેક દિવસ પૂર્વે મહિલા પોલીસ પુત્રની હત્યાના મામલે હત્યારા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. અને ત્રણેય આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ૂબનાવનું રી-ક્ધસ્ટ્રક્શન કરેલું હતું. પોલીસ પુત્રની હત્યાનું કારણમાં "ખૂનનો બદલો ખૂન" જેની તેની હત્યા થઈ તે પોલીસ પુત્રએ ૨૦૧૮ માં ભાવનગરમાં એક યુવાનની હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે ૨૦૧૮ માં જે યુવાન માર્યો ગયો હતો. તેના ભાઈઓએ આ પોલીસ પુત્રને જાહેરમાં સ્પેંસી નાખ્યો હતો.
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘાસિયાનો પુત્ર કેવલ ઉ.વ. ૨૯) પોતાની કાર સર્વિસમાં આપવા ગયો હતો ત્યારે ત્રણ શખ્સોએ જાહેરમાં છરી વડે તેના પર હુમલો કરી તેની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા.
પુત્રની હત્યા થઈ હોવાની જાણ થતા એસઆઈ રેખાબેન વાઘાસિયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અને પોતાના પુત્રનો મૃતદેલ જોઈ ભાંગી પડ્યા હતા. અને પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યાની વેદના છુપાવી શક્યા ન હતા. કેવલ બહુ વર્ષોથી ગુનાહિત જીવન જીવવા લાગ્યો હતો. તેની પર અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના નોંધાઈ ચૂકી હતા.જેમાં ૨૦૧૮ માં ભાવનગરના જે કાના નામના યુવાનની તેણે હત્યા કરી હતી, તે મામલે કુલ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે તમામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
તમામ સાતે સાત આરોપીઓ ભાવનગરની જેલમાં હતા. આ દરમિયાન તેણે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને અપીલ દરમિયાન મૃતક કેવલ સહિત સતીશ અને હાર્દિક નામના તેના બે સાગરિતોને અદાલતે શરતી જામીન આપ્યા હતા. છેલ્લા બે વર્ષથી કેવલ જામીન પર હતો. દરમ્યાન રેખાબેનને શંકા હતી કે કેવલ સામે બદલો લેવામાં આવશે એટલે તે સતત કેવલને કહી રહ્યા હતા કે સાચવીને રહેજે.
પણ તેવું થયું નહીં, કેવલ પોતાની કાર સર્વિસમાં મૂકવા ગયો ત્યારે મૃતક કાનાના ભાઈઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા ત્યાં છરી લઈને પહોંચ્યાં હતા અને કેવલની હત્યા કરી નાસી છૂટ્યા હતા. કેવલની હત્યા કોણે કરી તેવો પ્રશ્ન પોલીસ ને હતો. એટલે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા તેમાં મૃતક કાનાના ત્રણ ભાઈઓ નજરે પડયા હતા.
દરમ્યાન પોલીસ જ્યારે આ ત્રણેયના ઘરે તેની ધરપકડ માટે પહોંચી ત્યારે ૨૦૧૮ માં માર્યો ગયો હતો તે કાનાના ફોટા સામે દીવો કરેલો હતો. આ બહુ સૂચક ઘટના પોલીસ માની રહી હતી. પોલીસ એવું માની રહી હતી કે, આ બદલો લેવા માટેના સોગંધ હતા અને હત્યા પછી કાનાના ફોટો પાસે દીવો કરી સોગંધ પૂરા કર્યા હતા.જેથી કેવલના બીજા બે સાગરીતો સતીશ અને હાર્દિક પર હુમલો થવાની શક્યતાઓને પોલીસે ધ્યાને લઈ સતીશ અને હાર્દિક પર સતત નજર રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech