પૂર્ણિમાએ દ્વારકાધીશ મંદિરે ભક્તો ઉમટ્યા

  • May 12, 2025 12:12 PM 

હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે, દ્વારકા ખાતે દર પૂનમે સેંકડો ભક્તજનો ગોમતીમાં સ્નાન કરી કાળીયા ઠાકરના દર્શન કરતા હોય છે, આજે વૈશાખી પૂર્ણિમા હોવાથી દ્વારકાધીશ મંદિરે વ્હેલી સવારથી જ ભક્તજનો પહોંચી ગયા હતા.


 ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધીશના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ વિષમ પરિસ્થિતિના પગલે દ્વારકા, ઓખા, બેટમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ આજે સવારથી જ સમગ્ર પંથકમાં ભક્તો તેમજ સહેલાણીઓમાં વધારો જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application