જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, ડી.વાય.એસ.પી. ઝાલા તેમજ કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગનાં મુકેશ વરણવા સહિતના અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન કરાયું
જામનગર શહેર અને આજુબાજુ વિસ્તારમાં થઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવા માટે સરકારની સુચના બાદ મ્યુ. કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બંધ બારણે મીટીંગ કયર્િ બાદ કેટલાક ધાર્મિક સ્થળો સહિત ગેરકાયદેસર બાંધકામો તોડવાની શ કરી દેવામાં આવી છે. ગઇકાલે ઢીંચડા રોડ ઉપર એસ.પી.ની હાજરીમાં કોર્પોરેશનનાં 30 મીટરના ડી.પી. રોડને નડતરપ 10500 ચો.મી.ની જગ્યામાં ઉભુ કરાયેલુ એક ધાર્મિક સ્થળનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ડીમોલીશનની કાર્યવાહી વખતે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં હાજર રહ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગઇકાલે ઢીંચડા રોડ ઉપર કોર્પોરેશન દ્વારા 30 મીટરનો ડી.પી. રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે એક ધાર્મિક સ્થળ ઉભુ કરી દેવામાં આવ્યું હતું આ બાંધકામ અંગે અવાર નવાર નોટીસો પણ આપવામાં આવી હતી પરંતુ આ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી. આજથી દોઢ વર્ષ પહેલા જામનગરના મામલતદાર દ્વારા આ સ્થળ પર રોજકામ પણ કરાયુ હતું અને નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ બાંધકામ દૂર થયુ ન હતું.
હાલમાં નવો રોડ બનાવવાની કામગીરી અંતિમ તબકકામાં પહોંચી ચુકી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા ગઇકાલે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું આ સમયે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, શહેર ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, ગ્રામ્ય ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા, એલ.સી.બી.ના પી.આઇ. વી.એમ. લગારીયા, પી.એસ.આઇ. પી.એન. મોરી, એન.એ. ચાવડા, તેમજ કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, નીતીન દિક્ષિત, સુનિલ ભાનુશાળી સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને ચાર જે.સી.બી. દ્વારા 20 મજુરોને સાથે રાખીને આ ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech