અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના માતુશ્રી સ્વ.વિજયાબેનનું અવસાન
અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના માતુશ્રી સ્વ.વિજયાબેનનું અવસાન
April 04, 2026 07:24 PM
અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના માતુશ્રી સ્વ.વિજયાબેન ધીરજલાલ ઠાકરનું દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ: 06-04-2026, સોમવારે સવારે 8:00 થી 11:00 કલાકે AMC કોમ્યુનિટી હોલ, સ્પીપાની બાજુમાં, કોર્પોરેટ રોડ,પ્રહલાદનગર, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. અમિતભાઈ ઠાકરના માતુશ્રી સ્વ. વિજયાબેનનું અવસાન થતા તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. આજકાલ પરિવાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
અમિત ઠાકર વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સંકળાયેલા છે. 1997 થી 2004 અને 2007 થી 2010 સુધી બે ટર્મ માટે ભારતીય જનતા યુવા મોરચાના વડા તરીકે પણ સેવા આપી છે.