જામકંડોરણા નજીક હાઇવે પર ગોળાઇમાં બાઈક ચાલક આધેડે કાબૂ ગૂમાવતા સામેથી આવી રહેલી સ્કૂલ બસ સાથે બાઈક અથડાયું હતું. જેમાં આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. ધોરાજીના ભાદાજાળીયા ગામે રહેતા આધેડ ચરેલ ગામે રસોઈ કામ માટે જતા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના ભાદા જાળીયા ગામે રહેતા દિનેશભાઈ કુરજીભાઈ વાઘેલા(ઉ.વ ૫૦) નામના આધેડ ગત તારીખ ૩૨૨૦૨૫ ના બપોરના સમયે જામકંડોરણા પાસે કાલાવડ નેશનલ હાઈવે રોડ વાવડી વસાહત પાસે ગોળાઇમાં કાબુ ગુમાવતા બાઈક રોંગ સાઈડમાં જઈ સામેથી આવી રહેલી સ્કુલ બસ સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં આધેડને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટનાર આધેડ રસોઈ કામ માટે ચરેલ ગામ જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જે અંગે જામકંડોરણા પોલીસ મથકના એએસઆઈ એલ.એમ.જાંબુકીયાએ જરી કાર્યવાહી કરી હતી
ધોરાજીના ચિચોડ ગામ પાસે કાર હડફેેટે સાઇકલ સવાર વૃધ્ધનું મોત
ધોરાજીના ચિચોડ ગામે રહેતા જેરામભાઈ દાનાભાઈ વાઘીયા નામના વૃદ્ધ સવારે અહીં ગામથી નજીક કલાણા રોડ પર આવેલી પોતાની વાડીએ આટો મારવા માટે જતા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કારે તેમને હડફેટે લેતા વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે મોટીમારડ ખાતે દવાખાને લઈ જતા અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે વૃદ્ધનું મોત થયું હતું. આ અંગે વૃદ્ધના પુત્ર બાબુભાઈ જેરામભાઈ વાઘીયા(ઉ.વ ૫૫) ની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે સ્વીફટ નંબર જીજે ૦૬ એફકે ૭૯૧૮ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech