ભાવનગર શહેરમાં ગરમી ઘટી પરંતુ ભેજ વધતા બફારાથી લોકો ત્રસ્ત થયા છે.મહત્તમ તાપમાન બે ડિગ્રી ઘટીને ૩૬.૮ ડિગ્રી,લઘુતમ ૨૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ. ભેજ ૭૫ ટકા, પવનની ઝડપ ૮ કિ.મી. રહી હતી. શહેર અને જિલ્લામાં જૂનના પ્રારંભિક દિવસોમાં ગરમી અને બફારાનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે.
ભાવનગર શહેરમાં વરસાદની આગાહી વચ્ચે આજે બપોર સુધી જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો ન હતો.વરસાદની આગાહી વચ્ચે લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયા છે.કારણ કે દરરોજ ૬૦થી ૭૦ ટકા કે તેનાથી વધુ ભેજ રહેતો હોવાથી ખૂબ જ બફારો રહે છે. ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન આંશિક વધતા ગરમી યથાવત રહી હતી. આભમાંથી અંગારા વરસ્યા હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દરરોજ ભેજના ઊંચા પ્રમાણના કારણે સખ્ત બફારાથી લોકો આખો દિવસ પરસેવે રેબઝેબ થાય છે.
સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ, સક્કરટેટી તેમજ અન્ય ઠંડા પીણા અને આઈસક્રીમની ખપત વધી છે.જ્યારે ગરમીથી બચવા ટોપી અને ગોગલ્સની ખરીદી પણ વધી છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૨.૧ ડિગ્રી ઘટીને ૩૬.૮ ડિગ્રી નોંધાયુ હતુ. આથી ગરમી ઘટી હતી.જ્યારે લઘુતમ તાપમાન ૦.૮ ડિગ્રી વધીને ૨૮.૪ ડિગ્રી રહ્યું હતુ.આજે ગુરૂવારે સવારે ભેજ ૭૫ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી. આ સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ગરમીનું પ્રમાણ વધ્યુ હતું.ખાસ કરીને બપોરે ઉનાળા જેવી આકરી ગરમી રહી હતી.રાત્રે પણ હવે તાપમાન વધુ રહેતા ગરમી રહે છે. આ વર્ષે ગત વર્ષ કરતા પણ ઉનાળો વધુ આકરો મિજાજ દર્શાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેમ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ શહેરમાં અતિ ગરમી બાદ વરસાદના વાતાવરણના કારણે તાવ,શરદી,ઉધરસ,ઝાડા વગેરેના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.આથી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.લોકોને ખાસ કામ સિવાય ૧૨થી ૫ વાગ્યા સુધી બહાર ન નીકળવા અને લૂ ન લાગે તેનું ધ્યાન રાખવા આરોગ્ય તંત્રએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech