સાઇબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા જાડેજાની જામીન અરજી ફગાવાઇ

  • June 05, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં કરોડો ‚પિયાના સાઇબર ક્રાઇમના ગુન્હામાં જૂનાગઢ જેલહવાલે થયેલા હિરલબા જાડેજા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી પરંતુ પોરબંદરના જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલ અનુસંધાને જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.



આ કામની ટુંકી હકીકત એવી હતી કે આ કામના ફરીયાદી વી. આર.ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર  સાઇબર ક્રાઇમ પોરબંદરવાળાએ આરોપી હિરલબા ભુરાભાઇ જાડેજા, હિતેશ ભીમાભાઇ ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ તથા રાજુ મેર વિ‚ધ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ તથા આઇ.ટી. એકટની કલમ મુજબની ફરીયાદ આપી જણાવેલ કે આરોપીઓએ કપટપૂર્વક જાણીબુજીને ખોટા પ્રલોભનો આપી તેવા સેવિંગ્સ અને કરન્ટ બેન્ક ખાતાઓ અલગ-અલગ બેંકોમાં ખોલાવી સાઇબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી છેતરપીંડીથી નાણાઓબેંકના ખાતાઓમાં મેળવી-ઉપાડી- ટ્રાન્સફર કરી નાણા સગેવગે કરી નાખેલ વગેરે મતલબની હકીકત જણાવેલી બાદ આ કામે સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર એસ.આર. ચૌધરીએ આગળની તપાસ કરતા આ કામે આરોપીઓ દ્વારા અલગ-અલગ નામથી આરોપી નં-૧ની જગ્યામા ભાડા કારથી પેઢીઓ ખોલાવી પેઢીઓના નામે ગેરકાયદેસરરીતે કરોડો ‚પિયાના નાણાકીય વ્યવહારો કરવામાં આવેલ હોય તેવું તપાસમાં ખુલતા આ કામના આરોપીઓની ધરપકડ કરવામં આવેલ.


ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ પૈકી આરોપી હિરલબાએ ઉપરોકત ગુન્હામાં પોતે નિર્દોષ હોવાનું જાહેર કરી પોરબંદરના બીજા એડી.  સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી, જામીન અરજીના કામે તપાસ કરનાર અધિકારી એસ.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટરે કરેલી પ્રાથમિક તપાસના કાગળો રજુ કરી મૌખિક દલીલ કરી જણાવેલ કે આ કામે હજુ વધુ મોટી રકમના સાઇબર કૌભાંડો બહાર આવે તેવી તથા આ કામમાં આરોપીઓ સામે વિવિધ કાયદાની કલમોનો ઉમેરો થઇ શકે તેવી શકયતાઓ રહેલી હોય તેમજ આ કામે પ્રાથમિક તપાસમાં વિદેશમાં પણ આરોપીઓની સંડોવણી હોય તેવું પણ તપાસમાં ખુલવાની શકયતા રહેલી હોય, લાલચો આપી ખાતેદારો પાસે બેંક ખાતાઓ ખોલાવામાં આવેલ હોય અને તેનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવેલ હોય, જામીન ઉપર મુકત કરવાથી પુરાવા સાથે ચેડા થવાની શકયતાઓ રહેલી હોય તેવું જણાવેલુ તેમજ આ કામે તપાસ કરનાર અધિકારીની તથા એ.જે. લીલા, એડી. પી.પી. પોરબંદરના દ્વારા કરવામાં આવેલ મૌખિક તથા લેખિત દલીલો ધ્યાને લઇ અરજદારની જામીન ઉપર મુકત થવાની અરજી રદ કરવા દલીલો કરવામાં આવેલી જે અન્વયે બીજા. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ દલીલો તથા તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામુ ધ્યાને લઇ અરજદાર હિરલબા જાડેજા દ્વારા કરવામં આવેલ આ કામની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application