આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન, ઉના, કોડીનાર, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન હેઠળ નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણિયા (રહે. કોબ) મુખ્ય સૂત્રધાર હોય અને ગેંગ બનાવી અનેક પ્રકારના માનવ શરીર જીંદગી અડચણ ઉભી કરી હત્પમલાના ગુના નોંધાયેલ છે. ગત તા.૨૮–૪ના કોબ ગામે સલીમભાઈ કાસુભાઈ શેખ અને તેમની પત્ની અને દીકરા ઉપર જીવલેણ હત્પમલો કર્યેા હતો. આરોપીઓ ગુનો કરવાની ટેવ વાળા હોય તેથી જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લ ા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજાની સૂચનાથી કુખ્યાત નરેન્દ્ર અને તેની ટોળકી વિરૂધ્ધ કડક કાર્યવાહીની સુચના આપતા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યેા હતો. જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી. રાજપૂત, પીએસઆઇ એ.સી. સિંધવ, પીએસઆઇ એચ.એલ. જેબલિયા એએસઆઇ અરવિંદભાઈ જાની, પોલીસ સ્ટાફ પ્રવીણભાઈ મોરી, સંદીપભાઈ ઝણકાટ વિગર સ્ટાફે બાતમીના આધારે આરોપી મિલન અરજણભાઇ બાંભણિયા (રહે. કોબ), વિજય કુંભાભાઈ પરમાર (રહે.ભેભા)ને પકડી લીધા હતા. બાકીના પાંચ આરોપીઓ જેમા ત્રણ આરોપીઓ હાલ જેલમાં છે. બે આરોપીને પકડવાના બાકી છે જેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જૂનાગઢમાં બીજની જગન્નાથજી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ
વેરાવળ નમસ્તે સર્કલથી છેક સોમનાથ શંખ સર્કલ સુધી માર્ગ ઉપર ખાડા બુરવા માંગણી
કેશોદમાં ખોટું સોગંદનામું રજૂ કરી જમીનનું વીજ કનેકશન રદ કરાવ્યું
સોમનાથ અધિક માસના અંતિમ દિવસે ભાવિકોની ભકિતનો સમુદ્ર છલકાયો
AI શીખશે પાણિનીના સૂત્રો અને ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા, દેશમાં પહેલીવાર પ્રોજેક્ટ શરૂ થશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech