દેશના પ્રથમ રાઉન્ડ–ધ–કલોક અનાજ એટીએમનો ઓરિસ્સામાં પ્રારંભ

  • August 09, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓરિસ્સાનાના ભુવનેશ્વરમાં મંચેશ્વર ખાતે ભારતનું પ્રથમ રાઉન્ડ–ધ–કલોક અનાજ એટીએમ ખોલવામાં આવ્યું છે જેનાથી હવે ધારક પોતાનો આધાર અનથવા રેશન કાર્ડ નામ્બેર દાખલ કરીને રાશન મેળવી શકશે.
ઓરિસ્સાના ખાધ પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી કૃષ્ણ ચદ્રં પાત્રાએ ભારતમાં વલ્ર્ડ ફડ પ્રોગ્રામના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેકટર નોઝોમી હાશિમોટોની હાજરીમાં અન્નપૂર્તિ અનાજના એટીએમનું અનાવરણ કયુ હતું.પાત્રાએ કહ્યું કે આગામી સમયમાં રાયના તમામ જિલ્લાઓમાં અન્નપૂર્તિ અનાજના એટીએમ શ કરવામાં આવશે.જેના પગલે ગ્રાહકો મશીનમાંથી ચોખા, ઘઉં સરળતાથી લઈ શકે છે. તે ખૂબ જ સરળ પગલું છે.
મંત્રીએ કહ્યું કે અનાજના એટીએમની શઆત સાથે, ડીલરો દ્રારા પીડીએસ લાભાર્થીઓને તેમના યોગ્ય ખાધપદાર્થેા આપવામાં જે વિલબં કરતા હતા તે બધં થઈ જશે.
તેમણે કહ્યું કે મશીનથી અનાજ મેળવવાની પ્રક્રિયા જટિલ નથી. મંત્રીએ કહ્યું કે તેમનો આધાર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરીને અને બાયોમેટિ્રક પ્રમાણીકરણમાંથી પસાર થવાથી, લાભાર્થીઓને મશીનમાંથી તેમના હકનું અનાજ મળશે.ઓરિસ્સા સરકારે રાયમાં પોષણ સુરક્ષા હાંસલ કરવા માટે વિશ્વ ખાધ કાર્યક્રમ સાથે ભાગીદારીમાં આ પહેલ શ કરી છે.



પાંચ મિનિટમાં ૫૦ કિલો સુધી અનાજ બહાર આવશે
ભારતમાં વલ્ર્ડ ફડ પ્રોગ્રામ અંતર્ગત કામ કરતા અધિકારીઓએ કહ્યું કેએટીએમ ચોવીસ કલાક ચોખાઘઉંનું વિતરણ કરશે.અન્નપૂર્તિ ૦.૦૧ ટકાના ભૂલ દર સાથે, પાંચ મિનિટમાં ૫૦ કિલોગ્રામ સુધી અનાજનું વિતરણ કરી શકે છે.એકવાર બાયોમેટિ્રક પ્રમાણીકરણ પૂર્ણ થઈ જાય, તે સંપૂર્ણ ખોરાક રાશનની સતત અકસેસ પ્રદાન કરે છે.મોડુલર ડિઝાઇન ઉપલબ્ધ જગ્યાના આધારે સરળ એસેમ્બલીની મંજૂરી આપે છે. અન્નપૂર્તિની ઉર્જા કાર્યક્ષમ છે અને તે પ્રતિ કલાક માત્ર ૦.૬ વોટ વાપરે છે અને તેને ઓટોમેટિક રિફિલિંગ માટે સોલાર પેનલ સાથે જોડી શકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application