મોટાભાગના ભાડુતો ઘર બંધ કરીને ચાલ્યા ગયા: કોર્પોરેશન લેશે પગલા
જામનગર શહેરમાં કેટલાક લોકોએ આવાસમાં નામ નોંધાવ્યા બાદ આવાસ અર્પણ કરવામાં આવ્યા છે, પરંતુ નિયમ મુજબ આ મકાન સાત વર્ષ સુધી વેચી શકાય નહીં કે કોઇને પણ ભાડે આપી શકાય નહીં, આવા કડક નિયમ હોવા છતાં ઇવા પાર્કમાં લગભગ ૩૦ ટકાથી વધુ લોકોએ કેટલીક વીંગમાં રહેલા આવાસના મકાનો ભાડે આપી દીધા હોય આ અંગે અવારનવાર મ્યુ. કમિશ્નર સુધી ફરિયાદ પહોંચતા આખરે છેલ્લા બે દિવસથી ઇવા પાર્કમાં આવેલ અટલ ભવન આવાસમાં ચેકીંગની કાર્યવાહી કરી હતી, પરંતુ હાલમાં તો કોર્પોેરેશનને રાબેતા મુજબ કઇ મળ્યું ન હતું, લોકો અને મકાનમાં રહેતા લોકો તાળી વાસીને ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું છે.
ઇવા પાર્કમાં અટલ બિહારી વાજપેયી ભવનમાં એબીસીડી એમ ચાર વીંગ આવેલી છે, જેમાં કેટલાક મકાનધારકોએ એમના મકાન ભાડે પણ આપી દીધા છે, શુક્રવારે કોર્પોરેશનની ટીમ દ્વારા આ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું, ફટાફટ કેટલાક મકાનોને તાળા લાગી ગયા હતા, કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મોટાભાગના મકાનોની ખરાઇ કરવામાં આવી હતી, હાલ તો કેટલાક મકાનો ભાડે છે તે અંગે નોંધ કરીને મ્યુ. કમિશ્નરને રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે, હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા આવા મકાનધારકોને શું પગલા લેવામાં આવશે એ ંગે પણ અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ
September 20, 2024 10:05 AMખેતરમાં વધી ગયા હતા મચ્છર તો ખેડૂતે કર્યો જુગાડ, ભેંસને બાંધી મચ્છરદાનીમાં
September 20, 2024 10:02 AMઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech