જામનગર રોજગાર કચેરી અને શ્રી ડી.કે.વી કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાયો
જામનગર રોજગાર કચેરી અને અને શ્રી ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉદ્દીશા પ્રકલ્પ અન્વયે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમીનાર યોજાયો હતો.
સેમીનારની શરૂઆતમાં રોજગાર કચેરી જામનગરના કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટએ રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે..? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે,તેની સવિસ્તાર માહિતી આપી એમ્પ્લોયમેન્ટ કાર્ડ અન્વયે ફોર્મ ભરાવ્યા હતા.
આ કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમીનારમાં આર્ટસ અને સાયન્સના એસ.વાય ટી.વાયના ૧૨૬ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ઉદ્દીશા કિમીટી ના આસિસ્ટન્ટ પ્રોફેસર એ.કે.મહીડા અને સી.કે.ગૌસ્વામી, કોલેજના આસીસ્ટન્ટ પ્રો. જે.એચ.પંડ્યા, સંચાલનકર્તા પ્રો. સી.એસ.દવે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારનું આયોજન ઉદ્દીશા પ્રકલ્પ હેઠળ ડી.કે.વી કોલેજના આચાર્ય ડૉ.આર.યુ.પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech