સામા પક્ષે કર્મચારી દ્વારા પણ મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવાઈ
ખંભાળિયામાં આવેલા ભગવતી મેરેજ હોલની પાછળના ભાગે ગોવિંદ તળાવ પાસે રહેતા ચેતનભાઈ વિરજીભાઈ બથવાર નામના 23 વર્ષના યુવાનના ભત્રીજા પ્રતીકના નામે જી.જે. 37 એન. 7009 નંબરનું એક્સેસ મોટરસાયકલ ખરીદવામાં આવ્યું હતું. આ મોટરસાયકલ ફાઇનાન્સ ઉપર હોય, તેના હપ્તા ભરવામાં ન આવતા શ્રીરામ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા પરબતભાઈ ચાવડા નામના એક શખ્સે તેમના ઘરે આવતા ફરિયાદી ચેતનભાઈએ તેમને ઘરમાં આવવાની ના કહી હતી. જેથી પરબતભાઈએ ઘરમાં પ્રવેશીને ફરિયાદી ચેતનભાઈ સાથે બોલાચાલી કરી હતી.
આ પ્રકરણમાં ફરિયાદી અનુસૂચિત જાતિના હોવા છતાં પણ તેમને બિભત્સ ગાળો કાઢી, અને તેમનું ઉપરોક્ત નંબરનું મોટરસાયકલ લઈને તેઓ જતા રહ્યા હતા. આટલું જ નહીં, ફરિયાદીને જો તેઓ મોટરસાયકલ લેવા આવશે તો માર પડશે તેવી ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણમાં સામા પક્ષે શ્રીરામ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા અને ધરમપુર વિસ્તારમાં રહેતા પરબતભાઈ મુરુભાઈ ચાવડા (ઉ.વ. 40) એ ચેતનભાઈ વિરજીભાઈ બથવાર સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે કે આરોપીએ તેના કાકાના દીકરા પ્રતિકના નામે મોટરસાયકલ લીધું હતું. જે તેઓ સીઝ કરવા જતા આરોપીએ મોપેડ આપીશું નહીં, તેમ કહી ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી. આટલું જ નહીં, જો તેઓ ફરી અહીં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે પરબતભાઈ ચાવડાની ફરિયાદ પરથી ચેતનભાઈ બથવાર સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિસમસમાં આવશે આલિયાની એક્શનપેક મુવી ''આલ્ફા'
October 05, 2024 11:55 AMમીઠાપુરમાં અપહરણ તથા લૂંટના ગુનામાં બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર
October 05, 2024 11:33 AMખંભાળિયાના કેશોદ ગામે જાતરના પરંપરાગત મેળામાં અશ્વ રેસ
October 05, 2024 11:32 AMકલ્યાણપુરના ગાગા મુકામે સિંધવી માતાજીના સાનિધ્યમાં ધર્મોત્સવ
October 05, 2024 11:27 AMરાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર, વિસ્તરણ કે બીજું કાંઈ?
October 05, 2024 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech