BREAKING NEWS

રાજકોટના આધેડ પાસેથી સોનાના પાટલા પડાવી ધમકી આપતા ઉપલેટાના સાઢુ સામે ફરિયાદ

  • April 04, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના આધેડ પાસેથી ઉપલેટા રહેતા સાઢુભાઈએ સાળીના .૩.૫૦ લાખના સોનાના બે પાટલા પડાવી લઇ પરત ન આપી હવે જો પાટલા પરત માગ્યા તો જાનથી મારી નાખીસ ધમકી આપતા અંતે ઉપલેટા સ્થિત સાઢુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રા વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર સોસાયટી શેરી નં.–૨ માં જુસબભાઈ આમદભાઈ ઘુઘા (ઉ.વ.૪૯)ના આધેડ વર્ષ ૨૦૧૯માં થોડા સમય પહેલા ઉપલેટાના સ્મશાન રોડ પર રહેતા સાઢુભાઈ દિલાવર ઓસમાણભાઈ હિંગોરાના ઘરે ન્યાજના પ્રસંગે પત્ની સાથે ગયા હતા ત્યારે દીલાવરભાઈએ કહ્યું હતું કે, મારે પૈસાની જર છે તો મને પૈસા આપો આથી આધેડે પૈસા ન હોવાનું કહેતા દીલાવરે ઉશ્કેરાઇ તારે મને પૈસા આપવા જ પડશે નહિતર તને ઉપલેટાથી સાજો નહીં જવા દઈશ. આ દરમિયાન જુસબભાઈના પત્નિ શબાનાબહેન આવીને પણ દીલાવરને સમજાવતા હતા કે અમારી પાસે પૈસા નથી. દરમિયાન દિલાવરે શબાનાબેનના હાથમાં સોનાના પાટલા જોતા તમારી પાસે રોકડા પૈસા ન હોય તો આ સોનાના પાટલા આપી દયો આથી સોનાના પાટલા આપવાની ના પાડતા દિલવાર વધુ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી આ મા ગામ છે અને તુ મને દાગીના નહિ આપે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતા માથાકૂટ ન કરવા સોનાના પાટલા આપી દીધા હતા.
આ બાબતે પરિચિતોને વાતચીત કરતા પોલીસ ફરિયાદની ના કહી હતી અને સમાધાન કરી દાગીના પરત લઇ લેવાની વાત કરી હતી આથી પોલીસ ફરિયાદ કરવાનું આધેડે ટાળ્યું હતું. જે બાદ અવાર નવાર દાગીના પરત આપવા માટે દિલવરને ફોન કરવા છતાં દાગીના આપતો ન હોવાથી સાત દિવસ પહેલા જુસબભાઈ ઉપલેટા દીલાવરના ઘરે ગયા હતા અને સોનુ પરત આપવા માટેનું કહેતા સાઢુ દિલાવરે તારાથી થાય તે કરી લે જે કઈં સોનુ આપવાનો નથી. આથી અંતે આધેડે સાઢુ વિદ્ધ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News