સરદાર યુવા મંડળ દ્વારા યોજાયો નારિયેળ રેષા તાલીમ વર્ગ

  • September 02, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભરતનગર ખાતે નાળિયેર રેસા તાલીમ વર્ગ વર્ગ ચાલી રહ્યો છે જેમાં નાળિયેરના છાલા માંથી ગણપતિ લટકણીયા તોરણ. કાથીમાંથી પગલુછણીયા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટેનો ગુજરાત માટીકામ કલાકારી ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગરના સહયોગથી ૩૦ દિવસનો તાલીમ વર્ગ ચાલી રહ્યો છે.
જેમાં ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ વર્ગની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વર્ગથી ખૂબ ખુશ થયા હતા મંડળના પ્રમુખ ભરત મોણપરાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application