શિક્ષણ વિભાગના વર્ગ–૩ની ખાતાકીય પરીક્ષા અંગે રાય પરીક્ષા બોર્ડ દ્રારા કરેલા જાહેરનામા અનુસાર ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે બે દિવસમાં ચાર પ્રશ્નપત્રો લેવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.પરંતુ આ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત વધારવાના પગલે પરીક્ષાની તારીખમા ફેરફાર કરવામા આવયો છે.જેની જાહેરાત હવે પછી કરવામા આવશે.
શિક્ષણ વિભાગના વર્ગ–૩ના મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષક તથા કેળવણી નિરીક્ષકની ખાતાકીય પરીક્ષા લેવા અંગેનો કાર્યક્રમ રાય પરીક્ષા બોર્ડ દ્રારા જાહેર કરાયો હતો. જેમાં ૩૦ નવેમ્બર અને ડિસેમ્બરે ખાતાકીય પરીક્ષા લેવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. પરીક્ષા માટેના આવેદનપત્રો રાય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ૧૭ ઓકટોબરથી ૨૮ ઓકટોબર દરમિયાન ઓનલાઈન ભરવા સૂચના અપાઈ હતી. ઉમેદવારોએ ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી જરી આધાર પુરાવા મદદદનીશ શિક્ષણ નિરીક્ષક, શિક્ષકે જિલ્લા મદદનીશ શિક્ષણાધિકારીને તથા મદદનીશ જિલ્લ ા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી અને કેળવણી નિરીક્ષકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ ૨૯ ઓકટોબર સુધીમાં ફોર્મ જમા કરાવ્યા હતા. ત્યારબાદ જિલ્લ ા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કમિશનર ઓફ સ્કૂલની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને ૬ નવેમ્બર સુધીમાં ફોર્મ મોકલી આપવા તાકીદ કરાઈ હતી. આ બંને કચેરી દ્રારા ૧૨ નવેમ્બર સુધીમાં રાય પરીક્ષા બોર્ડને ફોર્મ જમા કરાવ્યા હતા.
ખાતાકીય પરીક્ષા માટેનું કેન્દ્ર ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું હતું. ખાતાકીય પરીક્ષાના શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સુધારો કરાયો હતો. જેથી સુધારાના પગલે નવા કર્મચારીઓ માટે ફોર્મ ભરવવાની તારીખ લંબાવવામાં આવતા આ કર્મચારીઓને પણ તૈયારી માટે પુરતો સમય મળી રહે તે માટે પરીક્ષાની તારીખ ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખ રાજય પરીક્ષા બોર્ડદ્રારા વેબસાઈટ પર હવે પછી જાહેર કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech