મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યાના બે વર્ષ પૂરા કર્યા પછી આજે ત્રીજા વર્ષના પ્રારંભે ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. લોધિકા તાલુકાના જશવંતપુર ગામે ઉમિયા માતાજીના મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં યોજાયેલા સ્ટેજ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના ખાતમુહર્ત્પત સહિતના જુદા જુદા કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યા હતા.
મુખ્યમંત્રી સવારે હિરાસર એરપોર્ટ આવી પહોંચ્યા બાદ ત્યાંથી સીધા જશવંતપુર જવા નીકળી ગયા હતા અને જશવંતપુરનો કાર્યક્રમ પૂરો કરી બપોરે યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં શિલાન્યાસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
બીટી સવાણી હોસ્પિટલનો કાર્યક્રમ પૂરો કરી મુખ્યમંત્રી જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા અને અહીં ખાતમુહર્ત સંદર્ભે યોજાયેલ ધાર્મિક વિધિના કાર્યક્રમમાં હાજરી આપી અહીં ઉપસ્થિત મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના જુદી જુદી કમિટીના ચેરમેનો અને સભ્યો જિલ્લા ભાજપના સંગઠન માળખાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
જિલ્લા પંચાયતનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રી સીધા જ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન ના ૭૯૩.૪૫ કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત્પત કરી સભાને સંબોધન કયુ હતું.
રાજકોટ મહાનગરપાલિકાના ૧૦૧૦ આવાસો અને શહેરી વિકાસ સત્તા મંડળના બસ ૨૧૦ આવાસોના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો તેમજ શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સીએનજી યુઅલ આધારિત નવી ૨૨ બસનું લોકાર્પણ કયુ હતું. આ ઉપરાંત ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલા ૭ જેટિંગ મશીનોનું પણ તેમણે લોકાર્પણ કયુ હતું. રેસકોર્સનો કાર્યક્રમ પૂરો કરી મુખ્યમંત્રી સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે પણ જવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech