બાંગ્લાદેશનો ભારત સાથે બદલો! આ વસ્તુની નિકાસ પર લગાવી રોક

  • September 10, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ઉજવણી અનોખી છે. દુર્ગા પૂજા દરમિયાન રાજ્યના દરેક બંગાળી ઘરમાંથી સરસવના તેલમાં રાંધવામાં આવતી હિલ્સાની સુગંધ આવે છે. પરંતુ આ વર્ષે આ સુગંધ ઓછી થઈ શકે છે કારણ કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી ત્યાંની વચગાળાની સરકારે હિલ્સા માછલીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધને કારણે દુર્ગા પૂજા પહેલા બાંગ્લાદેશી ઇલિશ (હિલ્સા)ની અછત છે અને તેના ભાવ આસમાને છે.


જોકે હિલ્સાએ પ્રતિબંધને બાયપાસ કરીને ભારત પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો છે. બાંગ્લાદેશની પદ્મા નદીમાં મળેલી હિલ્સા વિશે એવી સંભાવના છે કે દુર્ગા પૂજા પહેલા તેની ઉપલબ્ધતા વધી જશે. જો કે તેની કિંમત વધુ હશે.


પશ્ચિમ બંગાળના બંગાળીઓ દુર્ગા પૂજા દરમિયાન ખીચડી સાથે હિલ્સા માછલી ખાવાનું પસંદ કરે છે અને તે દર વર્ષે બાંગ્લાદેશથી મોટી માત્રામાં આયાત કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે બાંગ્લાદેશમાં એક મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે અને દેશની વચગાળાની સરકારના આ નિર્ણયથી હિલ્સા પ્રેમીઓની ચિંતા વધી ગઈ છે.


હિલ્સા માછલીના ભાવ આસમાને

તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશમાં હિલ્સાની કિંમત આસમાનને પોહચી રહી છે. જેના કારણે સરકારે 2012 થી 2020 સુધી તેની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ ભારતમાં હિલ્સાની નિકાસમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી.


બાંગ્લાદેશના મત્સ્ય અને પશુધન મંત્રાલયનાં જણાવ્યું હતું કે સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારતમાં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


મત્સ્ય અને પશુધન મંત્રાલયનાં જણાવ્યું હતું કે, હિલ્સાની ગયા અઠવાડિયે અમે હિલ્સાની નિકાસને મંજૂરી આપી શકતા નથી જ્યાં સુધી તે આપણા પોતાના લોકો માટે પૂરતું ન હોય. આ વર્ષે મેં વાણિજ્ય મંત્રાલયને દુર્ગા પૂજા દરમિયાન ભારતમાં હિલ્સાની નિકાસ રોકવાનો નિર્દેશ આપ્યો છે.


બાંગ્લાદેશ વિશ્વની લગભગ 70% હિલ્સાનું ઉત્પાદન કરે છે અને આ માછલી બાંગ્લાદેશની રાષ્ટ્રીય માછલી પણ છે. બાંગ્લાદેશે 2012 થી તિસ્તા નદીના જળ-વહેંચણી કરાર પર વિવાદને કારણે ચીનમાં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આ પ્રતિબંધને કારણે ભારતીય બજારોમાં હિલ્સાના ભાવ ખૂબ વધી ગયા અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર તેની દાણચોરી થવા લાગી. આને ધ્યાનમાં રાખીને શેખ હસીના સરકારે ભારતમાં હિલ્સાની નિકાસ ફરી શરૂ કરી.


હવે ભારતમાં હિલ્સા ક્યાંથી આવશે?

બાંગ્લાદેશની વચગાળાની સરકારના નિર્ણય બાદ હવે ભારતે હિલ્સા માટે અન્ય વિકલ્પો પર નિર્ભર રહેવું પડશે. ઓડિશા, મ્યાનમાર અને ગુજરાત જેવા સ્થળોએ હિલ્સા માછલી પણ ઓછી માત્રામાં જોવા મળે છે. ઓછા પુરવઠાને કારણે દુર્ગા પૂજા સીઝન દરમિયાન માછલીના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.


પ્રતિબંધ હોવા છતાં, હિલ્સા દિલ્હીમાં ઉપલબ્ધ

બાંગ્લાદેશ સરકારે ભારતમાં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં બાંગ્લાદેશની હિલ્સા માછલીઓ દિલ્હીના માછલી બજારોમાં ઉપલબ્ધ છે. તે કેવી રીતે આવે છે?


સીઆર પાર્કમાં માર્કેટ 1 માં માછલી વેચનારએ કહ્યું, 'ગાઝીપુર જથ્થાબંધ બજારના વેપારીઓએ અમને કહ્યું છે કે બાંગ્લાદેશથી હિલ્સા હવે મ્યાનમાર થઈને ભારતમાં આવી રહી છે અને આ કારણે હિલ્સાના ભાવમાં વધારો થયો છે.


એક ફિશ રિટેલરે નામ ન આપવાની શરતે કહ્યું, 'અમે હવે બાંગ્લાદેશથી 1-1.3 કિલો હિલ્સા માછલી 2,200 થી 2,400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છીએ. થોડા મહિના પહેલા તેની કિંમત 1,800 થી 2,000 રૂપિયા પ્રતિ કિલો હતી. દુર્ગા પૂજા દરમિયાન બાંગ્લાદેશી હિલ્સા ઉપલબ્ધ થશે, પરંતુ સપ્લાયની સમસ્યાને કારણે કિંમતો વધી શકે છે.


દિલ્હીના સીઆર પાર્ક માર્કેટ 2માં અન્ય એક માછલીના રિટેલરે જણાવ્યું હતું કે ભારતમાં અને બાંગ્લાદેશ બંનેની હિલ્સા માછલી બજારમાં ઉપલબ્ધ છે. તે કહે છે કે હવે બંને દેશોની 1-1.3 કિલો વજનની હિલ્સા 2,200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં તેઓ હજી પણ બાંગ્લાદેશમાં નિયમિત સપ્લાયર્સ પાસેથી માછલીની ખરીદી કરી રહ્યા છે.


બંગાળના લોકોના આહારમાં હિલ્સા માછલી મહત્વની ભૂમિકા ભજવે છે અને તેને "માછલીઓનો રાજા" કહેવામાં આવે છે. આ માછલી સરહદની બંને બાજુના ભોજનનો અભિન્ન ભાગ છે.


બાંગ્લાદેશમાંથી વહેતી ગંગા નદીની ઉપનદી પદ્માની હિલ્સા તેના અસાધારણ સ્વાદ અને રચના માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે પદ્માની હિલ્સા તમામ જાતોમાં સૌથી સ્વાદિષ્ટ હોય છે. આ વિવિધતામાં સમૃદ્ધ ચરબી અને જાડા રસદાર માંસ હોય છે જે તેને અલગ બનાવે છે.


પદ્મા હિલ્સાની માંગ માત્ર પશ્ચિમ બંગાળમાં જ નથી; દુર્ગા પૂજા અને બંગાળી નવું વર્ષના અવસર પર નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ઝારખંડ અને બિહારના બજારોમાં આ માછલીની ખૂબ માંગ છે.


હિલસા મુત્સદ્દીગીરી ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવે છે

ભારતમાં હિલ્સાની માંગને કારણે  હિલસા ડિપ્લોમસી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી સાધન રહ્યું છે. આ માછલી બંને દેશો વચ્ચે સદ્ભાવના અને મિત્રતાનું પ્રતીક બની ગઈ હતી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તેના ધ્વજવાહક હતા.


અનેક પ્રસંગોએ તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ભારતના ઘણા નેતાઓને હિલ્સા ભેટમાં આપી છે. આ પ્રથા 1996 માં શરૂ થઈ જ્યારે હસીનાએ ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર કરતા પહેલા પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુને હિલ્સા ભેટમાં આપી. 2019 માં, બાંગ્લાદેશે દુર્ગા પૂજાની 'ભેટ' તરીકે ભારતમાં 500 ટન હિલ્સાની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.


2023માં પદ્મ હિલ્સાનો પહેલો માલ દુર્ગા પૂજા સીઝન દરમિયાન 21 સપ્ટેમ્બરે પેટ્રાપોલ લેન્ડ પોર્ટ દ્વારા બાંગ્લાદેશથી બંગાળ પહોંચ્યો હતો. બાંગ્લાદેશથી કુલ નવ કાર્ગો ટ્રક જેમાં પ્રત્યેક પાંચ ટન હિલ્સા ભરેલી હતી, બરીશાલથી પશ્ચિમ બંગાળ પહોંચી હતી.


બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયે દુર્ગા પૂજાને ધ્યાનમાં રાખીને હિલ્સાનો આટલો મોટો માલ ભારતમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. તેમના આદેશ બાદ 79 માછલી નિકાસકારોએ 3,950 ટન હિલ્સા ભારતમાં મોકલી હતી.


જો કે, આ વર્ષે અચાનક ભારતમાં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પણ દુર્ગા પૂજા પહેલા. આ જોતાં એવું લાગે છે કે હિલ્સાની કૂટનીતિ હવે બેકફાયર થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application