પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે ભારત સરકાર વધુ આક્રમક વલણ અપનાવી રહી છે. જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આજે એક આકરું નિવેદન આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનને સિંધુ નદીનું એક પણ ટીપું પાણી નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ત્રણ તબક્કામાં લેવામાં આવશે અને આ માટે ત્રણ પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
મંત્રી પાટીલનું આ નિવેદન ભારતના તે નિર્ણયને અનુરૂપ છે જેમાં કાશ્મીર હુમલા બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત કરવામાં આવી છે. તેમનું આ કડક વલણ દર્શાવે છે કે ભારત હવે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન આપવાની નીતિ સામે કોઈપણ પ્રકારની નરમ વલણ દાખવવાના મૂડમાં નથી.
ત્રણ તબક્કામાં સંધિ સ્થગિત કરવાની રણનીતિ અંગે હજુ વધુ વિગતો સામે આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે ભારત આ પગલું પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારવા અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે મજબૂર કરવાના ઉદ્દેશ્યથી લઈ રહ્યું છે. જળશક્તિ મંત્રીના આ નિવેદનથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech