જામનગરના લાખેણા લાખોટા તળાવે શિયાળાની ખુશ્નુમા સવારે વિદેશી પંખીડાઓનો મેળાવડો જામ્યો છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પંખીઓ મોટી સંખ્યામાં મહેમાન બન્યા છે, જેને જોવા માટે પણ બાળકો સહિતના લોકો ઉમટી પડે છે અને અમુક લોકો આ વિદેશી પંખીઓને ગાંઠીયા ખવડાવતા પણ જોઇ શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં વિદેશી પંખીઓને ગાંઠીયા ખવડાવવા બાબતે વિવાદ થયો હતો દરમ્યાનમાં ગાંઠીયા ખવડાવવામાં આવી રહયા છે માટે આવા લોકોએ વિદેશી મહેમાનગતી માણવા આવેલા આ પંખીઓને ગાંઠીયા ન ખવડાવવા જોઇએ એવી પણ પક્ષીપ્રેમીઓમાં લાગણી અને માંગણી ઉઠવા પામી છે.