મુળુભાઈ બેરાએ સંસ્થાના સંચાલક સાથે બળદ આશ્રમ અને જીવદયા વિશે ચર્ચા કરી
ભાણવડ ખાતે છેલ્લા પંદરેક વર્ષથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય છે, ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલ જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ કરાયો છે, જ્યાં હાલ વૃદ્ધ,નિરાધાર અને અશક્ત એવા 89 જેટલા બળદ આશરો લઈ રહેલા છે જેની ખૂબ સારી સરભરા કરવામાં આવી રહી છે.
ત્યારે હાલના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા કે જેઓ માનવતાવાદી અને જીવદયા પ્રેમી મંત્રી તરીકે ઓળખાય છે, તેઓએ ખાસ આ બળદ આશ્રમની મુલાકાત લીધી અને આ સંસ્થાના સંચાલક અશોકભાઈ ભટ્ટ સાથે બળદ આશ્રમ અને જીવદયા પ્રવૃત્તિ અંગે ચર્ચાઓ કરી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વ્યક્તિગત તેમજ તંત્ર કક્ષાએથી જે જરૂરિયાત પડે તે માટે જણાવવા પણ કહ્યું હતું.
આ તકે એ પણ ઉલેખનિય છે કે, એનિમલ લવર્સની સેવા પ્રવૃત્તિમાં મંત્રીના પુત્ર હર્ષદભાઈ બેરા પણ આર્થિક મદદ કરી અને સેવાના સાક્ષી બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech