જામનગર નવાગામ ઘેડ તળપદા કોળી સમાજની વાડી ખાતે તા.૫-૭-૨૦૨૪ ને શુક્રવારના રોજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જામનગર જીલ્લામા સમસ્ત કોળી સમાજને એક તાંતણે બાંધી અને સમાજને શિક્ષિત સંગઠીત અને સમાજને મજબુત કરવા જામનગર જીલ્લાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ,અને કર્મચારીઓની એક સુંદર મીટીંગ આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મંત્રી તળપદા કોળી સમાજ નવાગામ ધેડની વાડી ખાતે આવતા ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજીથી અને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ હાજર રહેલા મહાઅનુવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી અને મંત્રીનુ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું અખિલ ભારતીય કોળી સમાજના જામનગર જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા, સહદેવ ડાભી દ્વારા શબ્દથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી દ્વારા ગુજરાત સરકાર વિવિધ યોજના માર્ગદર્શન આપી સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો, તેમજ આવનારા દિવસોમા કોળી સમાજને વધુને વધુ શિક્ષિત, સંગઠીત કરવા સુચનો કરવામા આવ્યા હતા.તેમજ પધારેલ કોળી સમાજના હોદેદારો અને કાર્યકર્તાના વિવિધ પ્રશ્ના સાંભળી અને લગત અધિકારી અને શાખાઓને ટેલિફોનેથી સૂચના આપી અને લોકોના પ્રશ્નો હલ કર્યા હતા.
આ તકે જામનગર સમસ્ત કોળી સમાજ જામનગર સર્વ સંગઠનના હોદેદારો આગેવાનો અને કાર્યકર્તા અને સમાજના શિક્ષિત કર્મચારીઓ ડે. શિક્ષણાધિકારી,ડે. મામલતદાર વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગની શુભ શરૂઆત શબ્દ થી સ્વાગત જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા અને આભાર વીધી જિલ્લા કર્મચારી મંડળ પ્રમુખ બી.એ.ડાકી દ્વારા કરવામાં આવ્યું હતું.આ મીટિંગનું સંચાલન અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ બી.ગુજરાતીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ મુજબ અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech